SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આપનારી છે. શ્રી જિનાલય બંધાવવાનું શાસ્ત્રમાં વિહિત હોવાથી તેમાં હિંસાનો કોઈ દોષ નથી.” આ પ્રમાણે સોળમી ગાથાનો સામાન્ય અર્થ છે-કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલય બંધાવતી વખતે પૃથ્વીકાય, અકાય વગેરે જીવોની હિંસા થતી હોવાથી આવા પ્રકારના અનુષ્ઠાનનો ઉપદેશ કેમ અપાય છે. આવી શંકાનું સમાધાન કરતાં ઉપર જણાવેલી ગાથામાં ફરમાવ્યું છે કે-યતનાપૂર્વકનું આ અનુષ્ઠાન, હિંસાની નિવૃત્તિ સ્વરૂપ ફળવાળું હોવાથી તેમાં કોઈ દોષ નથી. જેનું ફળ સુંદર છે, તેની નિર્દોષતામાં કોઈ વિવાદ નથી. વર્તમાનમાં જે હિંસા થાય છે; એની અપેક્ષાએ અધિક નિવૃત્તિ યતનાના કારણે સ્પષ્ટ છે. તેમ જ શ્રી જિનાલયનું નિર્માણ કરવાનું શ્રી વીતરાગપરમાત્માએ ફરમાવ્યું છે તેથી તેમાં દોષ નથી. વિહિત અનુષ્ઠાનમાં પણ દોષ હિંસાદિ લાગે તો બીજું કોઈ પણ અનુષ્ઠાન કરી શકાશે નહિ. ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે, શાસ્ત્રમાં જણાવ્યા મુજબના પ્રયત્નને યતના કહેવાય છે. તેના કારણે કરાતા કોઈ પણ અનુષ્ઠાનમાં હિંસાનો દોષ હોતો નથી. રાગ અને દ્વેષથી રહિત અને શાસ્ત્ર-આજ્ઞાથી શુદ્ધ એવા પ્રયત્ન સ્વરૂપ આ યાતના, અનુષ્ઠાનને હિંસાના દોષથી રહિત બનાવે છે. આથી જ અન્યત્ર પણ કહ્યું છે કે યતનાથી અશઠ-સરળ આત્માને રાગ-દ્વેષથી રહિત એવો યોગ હોય છે. આ પ્રમાણે યતનાનું સ્વરૂપ જણાવ્યું હોવાથી યતના જ્યાં હોય છે ત્યાં રાગદ્વેષનો અભાવ હોય છે-એ સમજી શકાય છે. અને તેથી એવા સ્થળે ભાવરાગ-દ્વેષનો પરિણામ)થી રહિત માત્ર દ્રવ્યહિંસા હોય છે. ભાવહિંસાને શાસ્ત્ર પરિહરવાયોગ્ય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy