SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શકે એવા આશયથી નિર્માણ પામેલા આ સ્થાનમાં બાલ, વૃદ્ધ અને ગ્લાન સાધુઓને તેમ જ શ્રાવક-શ્રાવિકાઓને અનુકૂળતા હોવાથી પૂ. સાધુભગવંતો ધર્મનો ઉપદેશ આપવા માટે રહી શકે છે. આધાકર્માદિ દોષથી રહિત આવા સ્થાનમાં શ્રી જિનાલયની બહાર મંડપાદિમાં પૂ. સાધુભગવંતો ધર્મોપદેશ માટે રહે એમાં કોઈ દોષ નથી. આવા પ્રકારના ચૈત્યસ્વરૂપ શ્રેષ્ઠ ગુણથી શોભતા ક્ષેત્ર[ગામ-નગરાદિમાં જ સાધુભગવંતોએ સ્થિરતા કરવી જોઈએ, જેથી સ્વ અને પરને લાભ થઈ શકે. આવા પ્રકારનું ગુણયુક્ત [શ્રીજિનાલયાદિથી શોભતું સ્થાન જો ન મળે તો પૂ. સાધુભગવંતોને બીજા સ્થાને જવું પડે અને તેથી તેવા પ્રસંગે ગૃહસ્થોને વ્યાખ્યાન-શ્રવણાદિનો લાભ ના મળે તેથી લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ માટે તત્પર એવા ગૃહસ્થો પોતાને ત્યાં પૂ. સાધુભગવંતો સ્થિરતા કરી શકે એવા આશયથી જ પૂર્વે જણાવ્યા મુજબ શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ બધાં કાર્યો કરે છે. પૂ. સાધુભગવંતો માટે આવા સ્થાનાદિનું નિર્માણ અહીં થતું નથી, પરંતુ આવા સ્થાનાદિ હોય તો પૂ સાધુભગવંતો ત્યાં સ્થિરતા કરી શકે અને તેથી પોતાને શ્રી જિનવાણીના શ્રવણાદનો લાભ મળી શકે એ એકમાત્ર આશયથી અહીં તે તે સ્થાનાદિ કરાય છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ઉપર જણાવ્યા મુજબ અક્ષયનીવિના સંવર્ધનાદિના કારણે જીર્ણોદ્ધારાદિ દ્વારા નિર્માણ પામેલું શ્રી જિનાલય અનેકાનેક પુણ્યાત્માઓના ઉપકારને ચોક્કસપણે કરતું હોવાથી સકલ વંશનું પરમતારક બને છે. આ પ્રમાણે કરવાથી ભવિષ્યમાં થનારા પુરુષોની સમગ્ર પરંપરાને ભવથી
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy