SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાઉભગવત રીતે હ. અરણો . અધિકાર માટે અર્પણ કરવું જોઈએ નહિ. “આ પરમતારક શ્રી જિનાલય તમારું છે; અને એના જીર્ણોદ્ધાર વગેરે તમારે કરવા'..વગેરે જણાવીને શ્રી જિનાલય પૂ. સાધુભગવંતોને ભળાવવાનું નથી, પરંતુ ગૃહસ્થોએ પોતે જ તેની સારસંભાળ લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. શ્રી જિનાલયાદિ ધર્મસ્થાનોની સારસંભાળ લેવાનું કાર્ય દ્રવ્યસ્તવસ્વરૂપ હોવાથી પૂ. સાધુભગવંતો માટે એ વિહિત નથી. મુખ્યપણે ભાવસ્તવના અધિકારી એવા સાધુભગવંતોને; અપવાદનાં કારણો સિવાય દ્રવ્યસ્તવમાં જોડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આથી સમજી શકાશે કે પૂ. સાધુભગવંતો પોતે જ જો એવા દ્રવ્યસ્તવને કરે તો તે કેટલું ઉચિત છે? વિશિષ્ટ કારણ વિના એવા પ્રકારનો દ્રવ્યસ્તવ પૂ. સાધુભગવંતો ન કરે-એનો ખ્યાલ ગૃહસ્થોએ રાખવો જોઈએ. જે કાર્ય ગૃહસ્થોનું છે એ કાર્ય પૂ. સાધુભગવંતોએ કરવું ના જોઈએ.' આવી રીતે શ્રી જિનાલયનું કાર્ય કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે પૂ.સાધુભગવંતો પોતાના બાલ, વૃદ્ધ વગેરે પૂ. સાધુભગવંતોના પરિવાર સાથે ત્યાં વ્યાખ્યાનાદિ માટે સ્થિરતા કરી શકે એવી વ્યવસ્થા ઉપલબ્ધ બને. આ માટે ચોક્કસ રીતે પૂજાતા ચેત્યાયતમંદિર સંબંધી મૂલધન સ્વરૂપ અક્ષયનવિને શ્રાવકોએ સારી રીતે વધારવી જોઈએ. અને પૂરતા પ્રયત્ન તેનું સંરક્ષણ કરવું જોઈએ. આમ કરવાથી શ્રી જિનાલયના નિર્માણ બાદ તેના જીર્ણોદ્ધારાદિનું કાર્ય ખૂબ જ સુવ્યવસ્થિત થતું હોય છે, જેથી આરાધકોનો સમુદાય પણ સારો એવો આવતો હોય છે. સ્થાનની અનુકૂળતા હોય તો આરાધકવર્ગને શ્રી જિનવાણી-શ્રવણાદિનો અવસર પ્રાપ્ત થઈ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy