________________
પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે-તેરમી ગાથામાં જણાવ્યા મુજબ આશયની વૃદ્ધિથી જ્યારે પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્યની શરૂઆત થાય છે ત્યારે નિર્માણ પામતું આ શ્રી જિનાલય, આ લોકમાં ભાવયજ્ઞ એટલે કે ભાવપૂજાસ્વરૂપ છે. ‘ભાવવજ્ઞ' આ શબ્દમાં યત્ ધાતુ[ક્રિયાપદ]નો અર્થ દેવપૂજા હોવાથી ‘ભાવયજ્ઞ'નો અર્થ ભાવપૂજા થાય છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય બાહ્ય-અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી દ્રવ્યસ્તવ [દ્રવ્યાનુષ્ઠાન] સ્વરૂપ છે, તેથી અહીં તેને ભાવપૂજા સ્વરૂપ કેમ જણાવ્યું છે' ?-આવો પ્રશ્ન થાય-એ બનવાજોગ છે. પરંતુ અહીં નિર્માણ પામતું જિનાલય પૂર્વે જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિ [દ્રવ્યાદિની શુદ્ધિ] દ્વારા આજ્ઞાની આરાધના સ્વરૂપ છે. તેથી તેવા પ્રકારના ભાવથી ગર્ભિત યુક્ત] હોવાથી શ્રી જિનાલયને અહીં ભાવપૂજાસ્વરૂપ વર્ણવ્યું છે.
આ રીતે આશયની વૃદ્ધિ સાથે કરાતું શ્રી જિનાલય ગૃહસ્થજીવનનું પરમ-પ્રધાન ફળ છે. જન્મથી આરંભીને ઉપાર્જેલા ધનનું એ એક જ સારભૂત ફળ છે. એ ફળથી ઉપાર્જેલા વિશિષ્ટ પુણ્યોદયે ભવાંતરમાં સ્વર્ગાદિ સદ્ગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આત્માને પરમપદની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી એનો વિચ્છેદ થતો નહિ હોવાથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય મોક્ષસ્વરૂપ વૃક્ષનું બીજ બની જાય છે. આથી સમજી શકાશે કે દ્રવ્ય [બાહ્ય અનુષ્ઠાનો પણ શ્રી વીતરાગપરમાત્માની . આજ્ઞા મુજબ કરવામાં આવે તો તે
૧૯૭