________________
प्रतिदिवसम॑स्य वृद्धिः कृताकृतप्रत्युपेक्षणविधानात् । एवमिदं क्रियमाणं शस्तमिह निदर्शितं समये ॥६- १३॥
“શ્રી જિનાલયના નિર્માણકાર્યનો આરંભ કર્યા પછી દરેક દિવસે, ‘કેટલું કાર્ય થયું અને કેટલું કાર્ય કરવાનું બાકી છે’-આ પ્રમાણે પ્રત્યુપેક્ષા-વિચારણા કરવા દ્વારા કુશલ આશયની વૃદ્ધિ કરવી જોઈએ. આવી રીતે કરાતું શ્રી જિનાલય, સિદ્ધાંતમાં પ્રશસ્ત જણાવાયું છે.’-આ પ્રમાણે તેરમી ગાથાનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે, શ્રી જિનાલયના નિર્માણનો જ્યારે પણ પ્રારંભ કરીએ ત્યારે દરરોજ એ કુશલ આશયની વૃદ્ધિ [ચઢિયાતા આશય સ્વરૂપ] કરવાની છે. એ માટે શ્રી જિનાલયનું કામ આજે કેટલું થયું અને કેટલું કરવાનું બાકી રહ્યું; તેમ જ આવતી કાલે કે ભવિષ્યકાળમાં પણ કેટલું કરવાનું બાકી છે- આ પ્રમાણે થયેલા અને નહિ થયેલા બંન્ને કાર્યની પ્રત્યુપેક્ષણા કરવી જોઈએ. આ વાતને તેના ફળનું વર્ણન કરવા દ્વારા અન્યત્ર કહ્યું છે કે-“શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારાઓનું પુણ્ય વધે છે. પ્રશમભા[કષાયરહિત અવસ્થા]ને પામેલા તેઓ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. સંયત [ઈદ્રિયોની દાન્ત અવસ્થાદિને પામેલા] તેઓ સ્વર્ગગામી હોય છે.’-આવી વિચારણાથી દરરોજ શ્રી જિનાલયના કાર્યની પ્રત્યુપેક્ષણાથી કરાતું આ શ્રી જિનાલય પ્રશસ્ત છે-આ પ્રમાણે સિદ્ધાંત-શાસ્ત્રમાં જણાવાયું છે.
પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાએ પણ ઉપર જણાવેલી વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-કુશલાશયની વૃદ્ધિ
૧૯૫