SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયનું નિર્માણકાર્ય ગૃહસ્થોએ કરવાનું છે. આવશ્યકતા મુજબ શાસ્ત્રીય માર્ગદર્શન પૂ. આચાર્યભગવંતાદિ પાસેથી મેળવવું જોઈએ. શ્રી જિનાલયના નિર્માણનો અધિકાર ગૃહસ્થોને છે, પૂ. આચાર્યભગવંતાદિ મહાત્માઓને એનો અધિકાર નથી. ગૃહસ્થોએ આવું લોકોત્તરકાર્ય પણ માનપાનાદિ કે ઈન્દ્રાદિપદની ભવાન્તરે પ્રાપ્તિ વગેરે ફળના ઉદ્દેશથી કરવું ન જોઈએ. માત્ર શ્રી જિનેશ્વરદેવની ભક્તિના આશયથી જ શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય કરવું જોઈએ. આ લોક કે પરલોકસંબંધી કોઈ પણ જાતના ફળ સંબંધી આશયવિશેષસ્વરૂપ નિયાણાથી રહિત જે અત્યંત શુદ્ધ પરિણામ છે; તેને અહીં શુભાશયસ્વરૂપ ચાશ' વર્ણવ્યો છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે- “શ્રી પોદશા પ્રવર'... વગેરે ગ્રંથનો આધાર લઈને “સંસારના સુખ માટે ધર્મ જ કરવો જોઈએ”- આ પ્રમાણે જણાવવાનું કેટલું ઉચિત છે. શ્રી જિનાલય; નિયાણારહિત શુભાશયથી બંધાવવું જોઈએ-એમ શ્રી ષોડશપ્રકરણાદિમાં જણાવ્યું છે. અને આવા પરમતારક શ્રી જિનાલયમાં પૂજા વગેરે અનુષ્ઠાનો સંસારસુખના આશય સ્વરૂપ નિયાણાથી પણ કરી શકાય છેએમ આજે કેટલાક ઉપદેશકો જણાવી રહ્યા છે ! ભારે વિચિત્રતા છે અત્યારના એ ઉપદેશકોની. ૬-૧રા, હવે સ્વાશયસંબંધી વૃદ્ધિ જણાવાય છે -
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy