________________
ઉદારતા ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં મોટા ભાગે દેવદ્રવ્યથી દેરાસરો બંધાતાં હોવાથી શ્રદ્ધા અને ઉદારતાની વાત કરવાની રહેતી નથી. નૂતન શ્રી જિનાલયના નિર્માણ માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઈએ. આજે જે રીતે દેવદ્રવ્યથી શ્રી જિનાલયનાં નિર્માણકાર્યો થઈ રહ્યાં છે-તે અંગે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. જીર્ણોદ્ધારના કાર્ય વખતે પણ જે રીતે ઉપેક્ષા સેવાય છે-એ સર્વથા અનુચિત છે. ઉદારતાનો અર્થ એ નથી કે નિષ્કાળજીપણે બેફામ ખર્ચ કરવો. પોતાના પૈસાની જેમ જ ચીવટથી દેવદ્રવ્યના પૈસાથી જીર્ણોદ્ધારનું પણ કાર્ય કરવું જોઈએ... II-૧૧
આ પૂર્વે ત્રીજી ગાથાથી શ્રી જિનાલયના નિર્માણ વખતે “સ્વાશયવૃદ્ધિ કરવાનું જણાવ્યું હતું, તેમાં સ્વાશય નું સ્વરૂપ જણાવાય છે -
देवोद्देशेनैतद् गृहिणां - कर्त्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते. तज्ज्ञैः ॥६-१२॥
શ્રી તીર્થંકરદેવની ભક્તિને ઉદ્દેશીને જ આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય ગૃહસ્થોએ કરવું જોઈએ. પરંતુ આ લોક સંબંધી માન-પાનાદિ ફળ અને પરલોકસંબંધી ઈદ્રાદિપદની પ્રાપ્તિ વગેરે ફળને ઉદ્દેશીને શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું ના જોઈએ. નિયાણાથી રહિત એ અત્યંત શુદ્ધ ભાવને સ્વાશયના જાણકારોએ “સ્વાશય-શુભાશય' તરીકે વર્ણવ્યો છે