________________
પ્રમાણે વિચારવું જોઈએ.. -૧૦
હવે મૃતકોના અનતિસંધાનન ઠગવું તેનું સ્વરૂપ જણાવાય છે -
अतिसंधानं चैषां कर्त्तव्यं न खलु धर्ममित्राणाम् । न व्याजादिह धर्मो भवति तु शुद्धाशयादेव ॥६-११॥ .
ધર્મમિત્ર સ્વરૂપ આ મૃતકોનું [કારીગરાદિનું અતિસંધાન નહિ કરવું જોઈએ. કારણ કે અહીં-શુભકાર્યપ્રસંગે છળ-કપટ નહિ કરવાથી જ ધર્મ થાય છે. છળકપટ કરવાથી ધર્મ થતો નથી.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ સ્વરૂપ શુભકાર્યના પ્રસંગે જે કર્મકારોને રાખ્યા હોય તે કર્મકારોને ઠગવા નહિ. ઓછો પગાર આપીને વધારે કામ લેવું, શક્તિ ઉપરાંત કામ લેવું, પ્રતિકૂળતામાં પણ રજા આપવી નહિ અને કોઈવાર તેઓ કામ પર આવ્યા ન હોય તો તેમનો પગાર કાપી લેવો. વગેરેને “મૃતકોનું અતિસંધાન” કહેવાય છે. પરમતા૨ક શ્રી જિનાલયના નિર્માણ-કાર્ય જેવા લોકોત્તરશુભકાર્યપ્રસંગે એવું ભૂતકોનું અતિસંધાન વિંચનઠગવું તેવું કરવું નહિ. ઘર્મના સહાયક હોવાથી જે કારીગરો વગેરે ધર્મમિત્રો છે, તેમના અતિસંધાનથી ધર્મની પ્રાપ્તિ ન થાય. કર્મકરોના અવંચન સ્વરૂપ શુદ્ધાશયથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. એવા શુદ્ધાશયની પ્રાપ્તિ માટે પરમતારક શ્રી જિનાલયની તારકતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને હૃદયની