SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર પડે જ. આવા લોકોત્તરકાર્ય માટે, સામાન્ય રીતે લોકવ્યવહાર[સદાચાર, વિનય, વ્યસનરહિતતાવગેરેને આશ્રયીને જેઓ વિશિષ્ટ છે-એવા લોકોને નિયુક્ત કરવા જોઈએ. ગમે તેવા માણસોને નિયુક્ત કરવાથી શ્રી જિનાલયનું કાર્ય હિતકર નહીં બને. આ રીતે લોકવ્યવહારથી વિશિષ્ટ એવા કર્મકારોને પણ “તેઓ પગારદાર નોકરો છે'- એવું માન્યા વિના તેઓ પોતાની જેમ જ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છે-એમ માનવા પૂર્વક તે લોકોને તે વચનો દ્વારા સુખપૂર્વક શ્રી જિનાલયના કાર્ય માટે નિયુક્ત કરવા જોઈએ. આમ કરવાથી તે લોકોને આપણે જે કાર્ય કરવા માટે જોડ્યા છે, તે કાર્ય તેઓ સારી રીતે ઝડપથી પૂર્ણ કરવા શક્તિમાન બને છે. વર્તમાનમાં જે રીતે કર્મચારીઓ પાસે કામ લેવાય છે-એનું વર્ણન થાય એવું નથી. આવી પરિસ્થિતિમાં આ ગાથામાં જણાવેલી વિગત ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ સંયોગોમાં એ તરફ દુર્લક્ષ્ય કરવાનું ઉચિત નથી. કરોડોના ખર્ચે તૈયાર થયેલા શ્રી જિનાલયના નિર્માણ વખતે પણ આ વાત ધ્યાનમાં લેવાનું અનિવાર્ય મનાતું હોય એમ જોવા મળતું નથી. ઔદાર્યાદિગુણોને કેળવ્યા વિના ઉપર જણાવેલી વાતનું પાલન શક્ય નથી. માણસ કોણ છે એનો વિચાર કરવાના બદલે, કામ કર્યું છેતે વિચારવું જોઈએ. કાર્યના કારણે માણસનું મહત્ત્વ છે, માણસના કારણે કાર્યનું મહત્ત્વ નથી. “શ્રી જિનાલયના નિર્માણ માટેના આ કારીગરો છે'- આવું વિચારવાના બદલે આ લોકો શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરી રહ્યા છે' - આ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy