________________
કરીએ ત્યારે તે કાર્ય કરવાનો પૂ. ગુરુદેવશ્રી નિષેધ કરે; કોઈવાર પૂ. ગુરુદેવશ્રી જે કાર્ય કરવા અંગે આપણને ઉપદેશ આપે ત્યારે તે કાર્ય કરવાનો આપણને ઉત્સાહ ન હોય. અને કોઈવાર એ બંન્ને હોય પરંતુ ત્યારે શકુનો સારાં ન થાયઆવું બનતું હોય છે. આવા વખતે કાર્યસિદ્ધિ થશે જ એવું જણાતું નથી. આથી સમજી શકાશે કે ત્રણ પ્રકારના ઉપર જણાવ્યા મુજબના પ્રત્યયોથી જ કાર્યસિદ્ધિની ઈચ્છાવાળા મુમુક્ષુ આત્માઓએ તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા કાર્યની સિદ્ધિ સંદેહયુક્ત બનશે.. lls-el
***
શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ભૃતકો[નોકરો]ને ઠગવા નહિ-આ પ્રમાણે ત્રીજી ગાથાથી જણાવ્યું છે; એ વિષયમાં ભૃતકો કેવા હોય છે... ઈત્યાદિ જણાવાય છે
-
भृतका अपि कर्त्तव्या य इह विशिष्टाः स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका इह वचनेन सुखं तु ते स्थाप्याः ॥६-१०॥
પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે કડિયા-માર વગેરે નોકરો તરીકે તેને રાખવા કે જેઓ સ્વભાવથી જ લોકમાં વિશિષ્ટગુણવાળા હોય; આવા ભૃતકો[નોકરોકર્મચારીઓ]ને નોકર માન્યા વિના ‘તમે પણ અમારી જેમ શ્રી જિનાલયના બાંધકામમાં સહાયક છો' એમ કહીને તેઓને સુપ્રસન્ન રાખવા- આ પ્રમાણે દસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-શ્રી જિનાલયના નિર્માણકાર્ય જેવા લોકોત્તરકાર્ય માટે કામ કરનારા[કર્મકર]ઓની
૧૯૦