SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તના ઉત્સાહ-ઉલ્લાસનું અનુસરણ એ આંતરશકુન છે.”આ પ્રમાણે નવમી ગાથાનો સામાન્યાર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે શકુન જોઈને તે તે કાર્ય કરવામાં આવે છે. એવી રીતે શ્રી જિનાલયના નિર્માણ માટે ઈટો વગેરે સામગ્રીને લેતી વખતે, લાવતી વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે પણ શકુન જોઈને તે તે પ્રવૃત્તિ કરવી જોઈએ. શકુન જોયા વિના પ્રવૃત્તિ કરવાનું હિતાવહ નથી. ગાથાનાં ત્રીજા-ચોથા પદથી અહીં શકુનનું વર્ણન કર્યું છે. પાણીથી ભરેલો ઘડો, દહીં, ચોખા, દૂર્વાદાસ અને માથે ઊંચકેલી માટી વગેરેને બાહ્યશકુન કહેવાય છે. ચિત્તના ઉત્સાહને અનુસરનારું આંતરશકુન છે, જેનું વર્ણન મનઃપ્રત્યયાનુસારીરૂપે અન્ય ગ્રંથમાં કર્યું છે. ચિત્તોત્સાહના અનુસરણથી અહીં પૂ. ગુરુભગવંતના વચનના અનુસરણને પણ સમજી લેવું. કહેવાનો આશય એ છે કે યોગબિંદુ વગેરે ગ્રંથમાં આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શકુનપ્રત્યય-આ ત્રણ પ્રત્ય[પ્રતીતિ]થી સામાન્ય રીતે કરવા ધારેલા કાર્યની સિદ્ધિનું જ્ઞાન થાય છે એમ જણાવ્યું છે. આપણે જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય એ કાર્ય કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે અને કાર્યના પ્રારંભે ઉપર જણાવ્યા મુજબ શુભ શકુનો પ્રાપ્ત થાય, ત્યારે આપણે જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય તે કાર્ય પ્રાયઃ ચોક્કસ જ સિદ્ધ થશે-એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શકુનપ્રત્યયથી થયેલું જણાય છે. આથી વિપરીત રીતે, કોઈ વાર આપણે જે કાર્ય કરવાનો નિર્ણય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy