________________
આવી કોઈ વિચિત્ર વાતોમાં આવી જાય નહિ એ માટે પ્રસંગે પ્રતીકાર કરવાનું અનિવાર્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગને હાનિ પહોંચાડવાનું યોજનાબદ્ધ કાર્ય કરવા આજે અમુક વર્ગ જ્યારે પ્રયત્નશીલ બન્યો હોય ત્યારે શક્તિ મુજબ તેને અટકાવવાનું ખૂબ જ અગત્યનું છે. સમર્થોની ઉદાસીનતા પરમતારક શાસનને ખૂબ જ હાનિ પહોંચાડશે - એમાં કોઈ શંકા નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે સમર્થ ઉપદેશકોની ઉદાસીનતાએ માર્ગને જે નુકસાન પહોંચાડ્યું છે; તેટલું નુકસાન અયોગ્યોની પ્રવૃત્તિએ કોઈવાર પહોંચાડ્યું નથી. -
હવે દલસંબંધી વિધિમાં દલવિશેષને આશ્રયી વિધિ જણાવાય છે -
दापि च शुद्धमिह यत्नानीतं देवताग्रुपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चै ग्रन्थ्यादिरहितं च ॥६-८॥
દેવતાદિના ઉપવનાદિથી પ્રયત્નપૂર્વક લાવેલું, સીધું, મજબૂત, નવું અને ગાંઠ વગેરેના દોષથી અત્યંત શૂન્ય જે કાષ્ઠ છે તે શ્રી જિનાલયના નિર્માણ માટે શુદ્ધ જાણવું.”- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે જે કાષ્ઠ ઉપયોગમાં લેવાનું છે તે કાષ્ઠ દેવી અને દેવની નજીકમાં રહેલા વનમાંથી પ્રયત્નપૂર્વક લાવેલું હોવું જોઈએ. એ કાષ્ઠ પ્રાપ્ત કરતી વખતે વનના સ્વામી દેવ-દેવીને આરાધનાથી