________________
લઈ જવી જોઈએ. ભાર વહન કરનારા મજબૂર કે બળદ વગેરેને પીડા થાય નહિ-એમ સહજ રીતે સામગ્રીને લઈ જવી. અતિશય ભારનું આરોપણ કરી ઓછા ફેરામાં માલસામાન લઈ જવાનું હિતાવહ નથી.
આ ગાથામાં જણાવેલી વિગતનો કદાગ્રહ વિના થોડો વિચાર કરવાથી સમજાશે કે - પ્રાચીન સંસ્કૃતિ; પર્યાવરણ; અનિવાર્ય હિંસા અને અલ્પપાપમય જીવન વગેરેના નામ નીચે વર્તમાનમાં જે ઉપદેશ અપાય છે-તે કેટલો યોગ્ય છે. પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે પણ સામગ્રી બનાવવાનો જ્યાં નિષેધ છે અને જેમ બને તેમ આરંભાદિની નિવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યાં પોતાની જીવનજરૂરિયાત માટે ખેતી વગેરે કરવાનો ઉપદેશ પૂ. મુનિભગવંતો કે શ્રાવકો કઈ રીતે આપી શકે ?, આ વિષયમાં ખૂબ જ વિવેકપૂર્વક વર્તવાની જરૂર છે. તૈયાર વસ્તુના ઉપયોગથી અનુમોદનાનું પાપ જણાવી પોતાની દૃષ્ટિએ શુદ્ધ વસ્તુના ઉત્પાદનમાં કોઈ દોષ નથી, પણ ધર્મ છે-એમ તેઓ જણાવે છે-એ ખૂબ જ વિચિત્ર છે. પર્યાવરણના રક્ષક આ ઉપદેશકોની આવી તો કંઈકેટલીય વિચિત્ર વાતો છે, જે મેં અન્યત્ર જણાવી છે. અહીં એ જણાવવાનો અવસર નહિ હોવાથી; જણાવ્યું નથી. છતાં પ્રસંગે એ બધું જણાવવાનો વિચાર છે જ. વર્તમાનમાં તો પર્યાવરણની રક્ષામાં ઓતપ્રોત બનેલાઓને ખૂબ જ મજબૂત પીઠબળ હોવાથી પ્રતીકાર અર્થહીન બની રહ્યો છે. વ્યક્તિ કરતાં શાસનનું મૂલ્ય જ્યારે હીન અંકાય છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાય છે: મુમુક્ષુ આત્માઓ
૧૮૬