________________
માટે આવશ્યક જે ઈટો અને પાષાણ વગેરે દ્રવ્ય છે તેને અહીં “દલ” કહેવાય છે. તે દ્રવ્યને જે બતાવનારા છે તેઓના સમુદાય પાસેથી ઉચિત મૂલ્ય-કિંમત આપીને ખરીદ કરેલું અને પોતાને ત્યાં વિધિપૂર્વક લાવેલું જે દલ [ઈટો વગેરે) છે તે અહીં શુદ્ધ દલ છે.”- આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે શ્રી જિનભવનના નિર્માણ માટે જે ઈટો વગેરે દ્રવ્ય આવશ્યક છે, તેને શ્રી જિનભવનનું ઉપાદાન કહેવાય છે. આ ઉપાદાનસ્વરૂપ “દલ” શુદ્ધ જ હોવું જોઈએ. અશુદ્ધ દલથી દેરાસરજીનું નિર્માણ કરાય નહિ. - દલની શુદ્ધિનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે શ્રીજિનભવનના નિર્માણ માટે જે ઈટો, પાષાણ, ચૂનો કે કાષ્ઠ વગેરે સામગ્રી જોઈએ તે તેના ઉત્પાદકોના સમુદાય પાસેથી મેળવી લેવી. પરંતુ જાતે બનાવવી કે બનાવરાવવી નહિ અને કોઈ એક જ વ્યક્તિ પાસેથી ખરીદવી નહિ, જેથી વધારે આરંભ-સમારંભ કરવા કે કરાવવાનો પ્રસંગ આવે નહીં. સામગ્રીની ખરીદી વખતે પણ ઉચિત મૂલ્ય આપીને સામગ્રી ખરીદવી. મૂલ્ય અંગે કોઈ કચકચ કરવી નહિ. દેરાસર માટે જોઈએ છે; વ્યાજબી લેજો.” વગેરે જણાવી ઓછી રકમથી સામગ્રી મેળવવાનો કોઈ પણ પ્રયત્ન કરવો નહિ. શક્ય પ્રયત્ન ઉદારતાપૂર્વક ખૂબ જ ઉલ્લાસથી સામગ્રી મેળવવી જોઈએ. સામગ્રીના ઉત્પાદકોનું સહેજ પણ મન કચવાય નહિ-એનો ખ્યાલ રાખવો. - ઉપર જણાવ્યા મુજબ ખરીદ કરેલી સામગ્રી પણ શ્રી જિનભવની ભૂમિ. સુધી લઈ જતી વખતે ઉચિત-વિધિપૂર્વક