________________
ગાથાનો સામાન્યર્થ છે.
આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યનો જે. વખતે પ્રારંભ કરાય ત્યારે ત્યાં નજીકમાં રહેલા જનોને અન, પાન અને વસ્ત્ર વગેરેનું દાન આપવું જોઈએ. તેઓને તેઓ પોતાની પાસે આવે ત્યારે ઊભા થવું, સામે જવું વગેરે દ્વારા માન આપવું અને તેમનો બેસવા માટે આસન વગેરે આપવા દ્વારા સત્કાર કરવો. આવી દાનાદિની પ્રવૃત્તિના કારણે તેઓને “આ જૈનધર્મ ધન્ય છે કે જ્યાં આવા પ્રકારનું અમારા જેવાનું
ઔચિત્ય કરાય છે”- આવી જાતિનો પ્રશંસા કરવા સ્વરૂપ શુભ પરિણામ ઉત્પન્ન થાય છે અને એ પરિણામથી જણાતો - એવો કુશલ પરિણામ-આશય તેઓને પ્રાપ્ત થાય છે. આ કુશલ આશય તે જનોને નિયમે કરી શ્રીસમ્યગ્દર્શનનું અંગ [કારણ બને છે. આ રીતે પરોપકાર કરવાના ગુણને લઈને શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરાવનારને મહાન લાભ થાય છે. અંતે પરોપકાર પણ સ્વાર્થસિદ્ધિમાં જ પરિણમે છે. ઈત્યાદિ સારી રીતે પરિભાવવું જોઈએ.. I -
પૂર્વે ત્રીજી ગાથામાં ર ર રારિ...'- આ પ્રમાણે શ્રી જિનાલય બંધાવવા અંગે વિધિદ્વારા જણાવ્યું હતું, તે વિધિ જણાવાય છે -
दलमिष्टकादि तदपि च शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत्स्यादानीतं चैव विधिना तु ॥६-७॥ . “શ્રી વીતરાગપરમાત્માના પરમતારક મંદિરના નિર્માણ