________________
પ્રત્યે બહુમાન ન રાખીએ; અસતુચેષ્ટા માલિકનો પરાભવ વગેરે) કરીએ અને મંદિરની જગ્યાની આસપાસ રહેનારા લોકોને પીડા ઉપજાવીએ તો જેમ અધર્મની સિદ્ધિ થાય છે, તેમ તેના વિપર્યયથી [શાસ્ત્ર પ્રત્યેના અબહુમાનાદિના વિરુદ્ધ શાસ્ત્રબહુમાન, સચેષ્ટા અને પરપીડાપરિહારથી ઘર્મની સિદ્ધિ થાય છે-એ સમજી શકાય છે. જેનો વિપર્યય વિરોધી પાપનું કારણ બને, તેનાથી ઘર્મની સિદ્ધિ થાય - એ ન્યાયસંગત છે. શાસ્ત્રબહુમાનાદિનો વિપર્યય (શાસ્ત્ર - અબહુમાનાદિ] અધર્મ-પાપનું કારણ હોવાથી શાસ્ત્ર-બહુમાનાદિ ધર્મનાં કારણ છે - એ સ્પષ્ટ છે. કોઈ પણ રીતે મુમુક્ષુ આત્માઓએ ઘર્મની સિદ્ધિ માટે શાસ્ત્રબહુમાનાદિમાં પ્રયત્નશીલ બનવું જોઈએ-એ પાંચમી ગાથાનો પરમાર્થ છે. ll -પા
ઉપર જણાવ્યા મુજબ શાસ્ત્રબહુમાનાદિથી જ ધર્મસિદ્ધિ થાય છે, એવું નથી, બીજા પણ ધર્મસિદ્ધિનાં અંગ છે - તે જણાવે છે.तत्रासन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दानमानसत्कारैः ।
कुशलाशयवान् कार्यो नियमाद् बोध्यङ्गमयमस्य ॥६-६॥
“પરમતારક શ્રી જિનાલયના નિર્માણની શરૂઆત કરતી વખતે, તે જગ્યાએ ઉપસ્થિત જનને, તે સંબંધી ન હોય તોપણ દાન, માન અને સત્કાર દ્વારા કુશલ આશયવાળો કરવો જોઈએ. એ કુશલાશય, નિયમે કરી ચોક્કસ તે જનને બોધિ-સમ્યગ્દર્શનનું અંગ બને છે.”- આ પ્રમાણે છઠ્ઠી