________________
ધર્મનું કારણ છે. ધર્મની સિદ્ધિ, વિધિના પાલનથી થાય છે અને વિધિનું પાલન વિધિને જણાવનારા શાસ્ત્ર પ્રત્યેના બહુમાનથી જ શક્ય છે.
ઉપર જણાવ્યા મુજબ વાસ્તુશાસ્ત્રપ્રસિદ્ધ શુદ્ધભૂમિ જેની પાસેથી મેળવવાની છે એ વ્યક્તિનો પરાભવ [નીચવૃત્તિ] ન થાય એ માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. એવા પ્રયત્નને અહીં સચેષ્ટા તરીકે વર્ણવ્યો છે. શ્રી જિનાલય માટે જે ભૂમિ મેળવવી છે; એના સ્વામીને સહેજ પણ શરમમાં પાડ્યા વિના કે નીચું જોવાનું થાય-એમ કર્યા વિના એમની પાસેથી જગ્યા મેળવવી જોઈએ. પૂર્ણ ઉદારતાપૂર્વક ભૂમિ મેળવવી જોઈએ. “મંદિર માટે જગ્યા જોઈએ છે; વ્યાજબી હોય તેટલું લેશો; તમને પણ લાભ મળશે..” વગેરે જણાવીને ભૂમિના સ્વામીને અભિભૂત [કશું જ બોલી ના શકે બનાવવાનું ઉચિત નથી. સ્વામીની પ્રસન્નતા અને ઉલ્લાસ વધે તેવી રીતે જગ્યા મેળવવી જોઈએ.
આવી રીતે જ શ્રી જિનાલયની ભૂમિની આસપાસ રહેનારા લોકોને પીડા ન થાય-એવું કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે ભૂમિમાં દેરાસર બાંધવાનું છે, એ જગ્યાની આજુબાજુ રહેનારા લોકોને ભવિષ્યમાં મંદિરના કારણે પીડા થવી ના જોઈએ. તેથી એવા લોકોની તે તે પ્રકારની પીડાનો પરિહાર કરવા તત્પર રહેવું જોઈએ. વર્તમાનમાં તેમને જે પીડા હોય તેને દૂર કરવી જોઈએ અને ભવિષ્યમાં બીજી કોઈ તકલીફ ન થાય એ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ-આ પ્રમાણે કરવાથી ધર્મની સિદ્ધિ થાય છે. શાસ્ત્ર
૧૮૨