SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ થાય નહિ. શુદ્ધ ભૂમિનું સ્વરૂપ આગળની ગાથામાં વર્ણવાશે. શ્રી જિનાલયના નિર્માણ માટે કાષ્ઠ, ઈટો વગેરે દલની અપેક્ષા છે. એનું પણ સ્વરૂપ હવે પછી આગળની ગાથામાં જણાવાશે. શ્રી જિનમંદિરના નિર્માણકાર્ય માટે જે માણસો રાખ્યા હોય, તેને ઉચિત પગાર વગેરે આપવો જોઈએ, અને મર્યાદિત જ કામ તેમની પાસેથી લેવું જોઈએ. અલ્પવેતન અને અમર્યાદિત કામ લેવા વગેરે દ્વારા તેમને ઠગવાનું ઉચિત નથી. આવી જ રીતે જે પરિણામથી શ્રી જિનાલયના નિર્માણની શરૂઆત કરી હોય તે પરિણામ ઉત્તરોત્તર વધવા જોઈએ. આ પ્રમાણે શ્રી જિનાલયના નિર્માણ અંગે સંક્ષેપથી વિધિ કહ્યો છે. આ સંક્ષિપ્ત વિધિની પણ ઉપેક્ષા આજે મોટા ભાગે થતી જોવા મળે છે. પૂર્વે જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાનમાં વિધિનો આગ્રહ હોવો જોઈએ. વિધિની ઉપેક્ષા, વસ્તુતઃ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની જ ઉપેક્ષા છે. આજ્ઞાની અવગણના કરવા પૂર્વકની કોઈ પણ પ્રવૃત્તિ તેના ફળને પ્રાપ્ત કરાવનારી નહીં બને. પરમતારક શ્રી જિનાલય જ જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ન બને ત્યારે કેવી વિચિત્રતા વર્તાય છે - એ સમજી શકાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના માટેનું પરમ આલંબન જ જો આજ્ઞાની અવગણનાપૂર્વક બંધાય તો એ પરમતારક આલંબન ભવથી તારનારું કઈ રીતે બને - એ વિચારવું જોઈએ. શાસ્ત્રવિહિત વિધિની ઉપેક્ષા કોઈ પણ રીતે હિતાવહ નથી. સંક્ષેપથી વર્ણવેલા વિધિપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણ થાય તો ચોક્કસ જ યોગ્ય આત્માઓને
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy