SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનાલય બંધાવવાનું આ પૂર્વે કહ્યું છે, તે વિષયમાં વિધિ જણાવાય છે - कारणविधानमेतच्छुद्धा भूमिर्दलं च दादि । भृतकानतिसंधानं स्वाशयवृद्धिः समासेन ॥६-३॥ “શ્રી જિનેશ્વરદેવનું પરમતારક મંદિર બંધાવતી વખતે; શુદ્ધ ભૂમિ, કાષ્ઠ પાષાણ વગેરે તેનાં સાધનો, નોકરોને ઠગવા નહિ અને શુભ પરિણામની વૃદ્ધિ - આ પ્રમાણે સંક્ષેપથી વિધિ છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ શ્રી જિનાલય બંધાવવાનું જ્યારે પણ ચોક્કસ કરાય ત્યારે આવું પરમકલ્યાણને કરનારું કાર્ય જેમતેમ ન થાય પરંતુ વિધિપૂર્વક થાય એ માટે મુમુક્ષુઓને જે વિધિ સાચવવાનો છે - એનું વર્ણન આ ગાળામાં કર્યું છે. શ્રીજિનમંદિરનું નિર્માણ, બધા જીવો પોતે જ કરે - એ શક્ય નથી. આવા વખતે એ કાર્ય બીજા શિલ્પી વગેરે દ્વારા કરાવવાનું હોય છે. આ રીતે બીજાની પાસે કાર્ય કરાવવાનું પ્રયોજકવ્યાપાર-નિર્વર્તન કહેવાય છે. આ નિર્વર્તનસ્વરૂપ અહીં કારણ છે. “કારણ' પદનો અર્થ - હેતુ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ અહીં એ અર્થ અભિપ્રેત નથી; ' ઉપર જણાવ્યા મુજબ “કરાવવું” અર્થ અભિપ્રેત છે. . - આ ગાથામાં શ્રી જિનાલય કરાવતી વખતના વિધિનો, ભૂમિ, દલ [અવયવ-અંગ-સામગ્રી]; કર્મકર [મજૂર વગેરે) અને સ્વપરિણામઃ આ ચારને આશ્રયી વિચાર કર્યો છે. શ્રી જિનમંદિર જે ભૂમિ ઉપર બંધાવવાનું છે તે ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. ગમે તે અશુદ્ધભૂમિ ઉપર શ્રીજિનાલયનું નિર્માણકાર્ય
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy