________________
તેઓએ આરંભેલું એ કાર્ય નિંદાને પાત્ર બનાવનારું બને છે, જે લોકોત્તર અનુષ્ઠાનની કિંમત ઘટાડે છે. લોકોત્તર ઘર્મના આરાધકોએ લોકમાં નિંદનીય એવા દુરાચારોથી સર્વથા દૂર રહેવું જોઈએ. જાગાર, મધ, માંસ વગેરે નિંદનીય આચાર છે. શિષ્ટ પુરુષો માટે એ ઉચિત નથી. દુષ્ટ આચારવાળા જીવો લોકોત્તર અનુષ્ઠાનની આરાધના કરતાં પૂર્વે પોતાના દુરાચારોનો ત્યાગ કરે તો તે આરાધના નિંદાને પાત્ર નહીં બને.
પરમતારક શ્રી જિનાલયનું નિર્માણ પણ માતા-પિતાદિ ગુરુજનોની સંમતિપૂર્વક કરવું જોઈએ. તેમની અનુમતિ વિના કરાતું આવું લોકોત્તર કાર્ય ઉચિત નથી મનાતું. આવા - લોકોત્તર કાર્યમાં અનુમતિ આપવા દ્વારા, શ્રી જિનાલયનું નિર્માણ કરનારા; તેઓશ્રીથી બહુમાન પ્રાપ્ત કરે છે. માતાપિતા કે પિતામહ વગેરે અને રાજા-મંત્રી કે પુરોહિત વગેરેથી આ રીતે બહુમત [અનુમતિ પામેલા પુણ્યાત્માઓ શ્રી જિનાલયને બંધાવે તો તે કાર્ય, પરમતારક શાસનની પ્રભાવનાનું કારણ બની રહે છે. અન્યથા તેઓશ્રીની અનુમતિ વિના કરાયેલું એ કાર્ય કોઈ પણ રીતે શોભાસ્પદ બનતું નથી. ગાથાના અંતે જે તિ શબ્દ છે તે, શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારા અધિકારીનાં વિશેષણોની સમાપ્તિને જણાવનારું છે. અર્થાત્ ન્યાયાર્જિત અર્થનો સ્વામી; મતિમાન; વધતા શુભ પરિણામવાળો; સદાચારી અને ગુર્નાદિ દ્વારા બહુમત-આ પાંચ વિશેષણોથી વિશિષ્ટ; શ્રી જિનાલયના નિર્માણનો અધિકારી છે. મદ્રા