________________
જ કરવાં જોઈએ. અન્યથા એનું વિવણિત ફલ પ્રાપ્ત થતું નથી. પરમતારક શ્રી જિનાલય ન્યાયથી મેળવેલા ઘનથી બંધાવવું જોઈએ. જેની પાસે આવું ન્યાયથી મેળવેલું ધન નથી, તે વસ્તુતઃ શ્રી જિનાલયના નિર્માણ માટે અધિકારી નથી. મોટા ભાગે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શરૂઆતથી જ આ રીતે અવિધિનો પ્રારંભ થાય છે. પછી તો અવિધિની પરંપરા સર્જાય છે, જેને અટકાવવાનું લગભગ શક્ય બનતું નથી. આજે ભાગ્યે જ ન્યાયથી પ્રાપ્ત કરેલા વિત્તથી શ્રીજિનાલયના નિર્માણકાર્યાદિ થતાં હોય છે. અન્યાયથી ઉપાર્જન કરાયેલા અર્થના વ્યયથી થનારું શ્રી જિનાલય વગેરે સંબંધી કાર્ય પારમાર્થિક રીતે ફલને આપનારું નથી. પ્રારંભમાંથી જ અનધિકૃત રીતે કરાયેલાં તે તે કાર્યો પરમફળને ન જ આપે તે ન સમજાય એવી વાત નથી. પરંતુ આજની પરિસ્થિતિ જોતાં એ સમજાવવાનું ઘણું જ કપરું છે. શુદ્ધ દ્રવ્ય અને વિધિનો આગ્રહ સેવનારા પણ ન્યાયથી ઉપાર્જેલા અર્થથી જ તે તે કાર્ય કરવાનો આગ્રહ રાખતા નથી. એ ઘણું જ અનુચિત છે.
ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાની ભાવનાવાળો આત્મા ન્યાયાર્જિત વિધિનનો સ્વામી હોવો જોઈએ. તેમ જ તે મતિમાન હોવો જોઈએ. તે તે અવસરે જે કરવાનું હોય તેને વિચારવાની પ્રતિભા જેની પાસે હોય અને ભવિષ્યની અપેક્ષાએ હિતનો જે જાણકાર હોય તેને મતિમાન કહેવાય છે. આવા બુદ્ધિમાન આત્માઓ શ્રી, જિનાલયના નિર્માણ માટે અધિકારી છે. બુદ્ધિથી રહિત, વિવેક વિનાના માણસોને એવો અધિકાર નથી. વિવેક વિનાનું