________________
દાનાદિ સેવા; ગુરુદેવાદિની પૂજા અને ગુરુપારતન્ત્ય વગેરે સ્વરૂપ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ।।૬-૧||
***
પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે કયા ગુણોથી યુક્ત અધિકારી હોવો જોઈએ તે જણાવાય છે न्यायार्जितवित्तेशो मतिमान् स्फीताशयः सदाचारः । गुर्वादिमती जिनभवनकारणस्याधिकारीति ॥६-२॥
ન્યાયથી મેળવેલા ધનનો સ્વામી; પ્રતિભાસંપન્ન; વધતા એવા ધર્મના અધ્યવસાયવાળો; સુંદર આચારવાળો અને માતાપિતાદિ દ્વારા બહુમાન કરાયેલો શ્રી જિનેશ્વરદેવોના પરમતારક જિનાલયના નિર્માણનો અધિકારી છે.’- આ પ્રમાણે બીજી ગાથાનો શબ્દાર્થ છે.
-
કહેવાનો આશય એ છે કે-પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાની ભાવનાવાળા પુણ્યાત્માઓ કેવી જાતની યોગ્યતાવાળા હોવા જોઈએ-તે આ ગાથામાં જણાવ્યું છે. સામાન્ય રીતે ગૃહસ્થોએ સ્વદ્રવ્યથી શ્રી જિનાલય બાંધવું જોઈએ. એ દ્રવ્ય ન્યાયથી યુક્ત વ્યાપાર વગેરે દ્વારા પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અસત્ય બોલીને, છેતરીને, વિશ્વાસઘાત કરીને, ખોટાં તોલમાપ કરીને, ભેળસેળ કરીને કે અપ્રામાણિકપણે નોકરી . વગેરે કરીને પ્રાપ્ત કરેલું ધન ન્યાયાર્જિત નથી હોતું. અનંતજ્ઞાનીઓએ જેનું વિધાન કર્યું છે તે બધાં જ અનુષ્ઠાનો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ
૧૭૩