________________
પુણ્યના અનુભાવથી જીવોને પરસ્પર વિરોધ વિનાની જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે. પરસ્પર-વિરોધિ એવું સત્કાર્યદાનાદિ] પણ લૌકિક છે, લોકોત્તર નથી; જેથી પરસ્પર-વિરોધિ એવાં અનુષ્ઠાન મોક્ષસાધક બનતાં નથી.
પ-૧દા | | કૃતિ પમ છોડશમ્ |
अथ षष्ठं षोडशकम् । આ પૂર્વેના ષોડશકમાં લોકોત્તરતત્ત્વ'ની સંપ્રાપ્તિનું વર્ણન કર્યું. હવે લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયે છતે જેની પ્રાપ્તિ થાય છે તે જણાવાય છે -
अस्यां सत्यां नियमाद् विधिवग्जिनभवनकारणविधानम् । सिध्यति परमफलमलं ह्यधिकार्यारम्भकत्वेन ॥६-१॥
આ લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયે છતે, અધિકારીયોગ્ય આત્માએ કરેલું હોવાથી વિધિપૂર્વક શ્રી જિનેશ્વરદેવનું મંદિર બનાવવાનું કાર્ય સારી રીતે ચોક્કસપણે પરમફલને આપનારું બને છે.” આ પ્રમાણે છઠ્ઠા ષોડશકની પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શક્તિસંપન્ન આત્માઓ માટે પરમતારક શ્રી તીર્થંકરપરમાત્માનું મંદિર કરાવવાનું અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યું છે. લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયા પછી ધર્માર્થી આત્માને એ પરમકલ્યાણકારી કાર્ય વિધિપૂર્વક થતું હોવાથી પરમ-પ્રકૃષ્ટ ફલને આપનારું બને છે - એનું કારણ એ છે કે લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થવાથી