________________
સોળમી ગાથાનો પરમાર્થ છે.
આ સોળમી ગાથામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ ઈતરેતરસાપેક્ષ હોય છે. એનો આશય એ છે કે જ્યારે પણ કોઈ એક ક્રિયા કરીએ ત્યારે તેને છોડીને અન્ય બધી જ ક્રિયાઓની હાનિ થાય નહિ . એવી સકલક્રિયાઓની અપેક્ષા વિદ્યમાન છે જ; તેથી લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ પરસ્પરવિરોધિની નથી. પરંતુ પરસ્પર-સાપેક્ષ અપેક્ષા સહિત છે. તે, આપ્તવચનઆગમ)ની પરિણતિથી પ્રાપ્ત થાય છે. એક વિવક્ષિતક્રિયા અન્ય સઘળી ય ક્રિયાઓની અપેક્ષાવાળી છે. આવા પ્રકારના જે સંસ્કાર છે, તેને આપ્તવચનની પરિણતિ કહેવાય છે. લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ માટે એ પરિણતિ ખૂબ જ જરૂરી છે. લોકોત્તર બધી જ ક્રિયાઓ શ્રી વીતરાગપરમાત્માએ મોક્ષસ્વરૂપ એક જ અર્થ માટે વિહિત કરી છે. એમાં એક ક્રિયા બીજી બધી ક્રિયાઓની વિરોધિની વિરોધવાળી બને તો તે ક્રિયા કોઈ પણ રીતે મોક્ષસાધક બને નહિ. અને તેથી તે ક્રિયાની લોકોત્તરતા નાશ પામે - એ સમજી શકાય છે. લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી - એ નિરંતર સ્મરણીય
છે.
આગમની પરિણતિથી પ્રાપ્ત થનારી લોકોત્તરતત્ત્વની સમ્માતિમાં પુણ્યાનુભાવ [પુણ્યનો ઉદય એક પ્રબળ સાધન છે. પૂર્વે જણાવેલાં મહાદાન, વિશિષ્ટદેવપૂજા અને સદ્ગુરુસેવાદિના યોગે વિશિષ્ટપુણ્યના ઉદયની પ્રાપ્તિ થાય છે. એ પુણ્યોદય સમ્બુદ્ધિનું કારણ છે. આવી જાતના