________________
ઉચિત કાળે વિધિપૂર્વક અને સ્વાધ્યાયાદિ સદ્યોગનો વિઘાત હાનિ ન થાય એ રીતે ગુરુસેવા વગેરે કરવું જોઈએ. અન્યથા ગુરુસેવાદિ વિવક્ષિત ફળને આપનારાં નહીં બને.
ઉપર જણાવ્યા મુજબ ગુરુસેવાદિ જ નહિ; પરમતારક માગમમાં જણાવેલાં સઘળાંય અનુષ્ઠાનો, ઉચિત અવસરે વિધિપૂર્વક અને બીજાં વિહિત અનુષ્ઠાનોનો વિઘાત ન થાયએ રીતે કરવા જોઈએ. એ પ્રમાણે અનુષ્ઠાનોના વિધાનને લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ કહેવાય છે. ઉપર જણાવેલાં દાનાદિ, દેવપૂજાદિ કે ગુરુસેવાદિ સર્વ અનુષ્ઠાનો વિધિયુક્ત હોય તો જ તેને મહાન, ઈષ્ટ કે સદ્ [શોભન કહેવાય છે. મહતું, રૂપ અને સંત વગેરે પદોથી વિશેષે કરી જણાવેલાં તે તે અનુષ્ઠાનો જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ સ્વરૂપ છે, જે લોકોત્તર અનુષ્ઠાન તરીકે પ્રસિદ્ધ છે. મહંત, રૂદ અને સંત તેમ જ શુદ્ધ અનુષ્ઠાન જ લોકોત્તર અનુષ્ઠાન છે, તેને છોડીને બીજાં અનુષ્ઠાનો લોકોત્તર નથી. પ-૧૧|
આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છેતે જણાવાય છે- इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या ।
भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥५-१६॥
“પરસ્પર વિરોધ વિનાની આ લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ; જીવોને પૂર્વે જણાવ્યા મુજબ પુણ્યના અનુભાવથી આપ્તપુરુષના વચન[આગમની પરિણતિના કારણે થાય છે.”- આ પ્રમાણે