SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત કાળે વિધિપૂર્વક અને સ્વાધ્યાયાદિ સદ્યોગનો વિઘાત હાનિ ન થાય એ રીતે ગુરુસેવા વગેરે કરવું જોઈએ. અન્યથા ગુરુસેવાદિ વિવક્ષિત ફળને આપનારાં નહીં બને. ઉપર જણાવ્યા મુજબ ગુરુસેવાદિ જ નહિ; પરમતારક માગમમાં જણાવેલાં સઘળાંય અનુષ્ઠાનો, ઉચિત અવસરે વિધિપૂર્વક અને બીજાં વિહિત અનુષ્ઠાનોનો વિઘાત ન થાયએ રીતે કરવા જોઈએ. એ પ્રમાણે અનુષ્ઠાનોના વિધાનને લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ કહેવાય છે. ઉપર જણાવેલાં દાનાદિ, દેવપૂજાદિ કે ગુરુસેવાદિ સર્વ અનુષ્ઠાનો વિધિયુક્ત હોય તો જ તેને મહાન, ઈષ્ટ કે સદ્ [શોભન કહેવાય છે. મહતું, રૂપ અને સંત વગેરે પદોથી વિશેષે કરી જણાવેલાં તે તે અનુષ્ઠાનો જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ સ્વરૂપ છે, જે લોકોત્તર અનુષ્ઠાન તરીકે પ્રસિદ્ધ છે. મહંત, રૂદ અને સંત તેમ જ શુદ્ધ અનુષ્ઠાન જ લોકોત્તર અનુષ્ઠાન છે, તેને છોડીને બીજાં અનુષ્ઠાનો લોકોત્તર નથી. પ-૧૧| આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છેતે જણાવાય છે- इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या । भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥५-१६॥ “પરસ્પર વિરોધ વિનાની આ લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ; જીવોને પૂર્વે જણાવ્યા મુજબ પુણ્યના અનુભાવથી આપ્તપુરુષના વચન[આગમની પરિણતિના કારણે થાય છે.”- આ પ્રમાણે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy