SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવાય છે - एवं गुरुसेवादि च काले सयोगविघ्नवर्जन्या । इत्यादिकृत्यकरणं लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥५-१५॥ . આ રીતે વિધિપૂર્વક અવસરે સ્વાધ્યાયાદિસ્વરૂપ સદ્યોગ-ધર્મપ્રવૃત્તિનો વ્યાઘાત [બાધ ન થાય - એ રીતે કરાતી ગુરુસેવા કે ગુરુપૂજા વગેરે કરવી જોઈએ. આવા પ્રકારનાં આગમમાં જણાવેલાં અનુષ્ઠાનો કરવાં - એ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ સ્વરૂપ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભવનિસ્તારક આચાર્યભગવંતાદિ ગુરુભગવંતની સેવા, પૂજા અને સત્કારાદિ પણ વિધિપૂર્વક જ કરવાના છે. એ પણ યોગ્ય અવસરે કરવાના છે. એ કરતી વખતે સ્વાધ્યાય વગેરે સદ્યોગનો વ્યાઘાત ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ રીતે જ કરાતી ગુરુસેવા વગેરે ઈષ્ટ ફલને આપનારી છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો તે તે સમયે અવશ્ય કરવાનાં છે. એકબીજાં અનુષ્ઠાનો, એકબીજાં અનુષ્ઠાનોના ભોગે નથી કરવાનાં. ગુરુસેવા વગેરે અનુષ્ઠાનો શ્રેષ્ઠ છે પરંતુ એનો અર્થ એ નથી કે તેઓશ્રીના સ્વાધ્યાયાદિ સદ્યોગમાં વિદન-બાધા કરનારાં બને. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા કરી ગુરુસેવાદિ કરવામાં આવે તો તે ઉચિત નથી. શ્રી વીતરાગપરમાત્માએ જણાવેલા સુંદર ધર્મવ્યાપારસ્વરૂપ સ્વાધ્યાય કે ધ્યાન વગેરે તે તે કાળે કર્યા વિના ચાલે એવું નથી. બીજા કોઈ પણ અનુષ્ઠાનના કારણે તેનો વ્યાઘાત થાય એ યોગ્ય નથી. આથી સમજી શકાશે કે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy