________________
દેવપૂજામાં આદર; કરતી વખતે પ્રીતિ અને કોઈ પણ જાતનાં વિઘ્નોનો અભાવ..વગેરે લક્ષણો હોવાં જોઈએ. આદર; કરણ [પ્રવૃત્તિ]માં પ્રીતિ; વિઘ્નનો અભાવ; સમ્પત્તિની પ્રાપ્તિ; જિજ્ઞાસા અને તજ્જ્ઞની સેવા : આ સદનુષ્ઠાનનાં લક્ષણો છે. કોઈ પણ અનુષ્ઠાન પ્રત્યે આદર હોવો જોઈએ. તે કરવામાં પ્રીતિ હોવી જોઈએ. તે વખતે કોઈ પણ વિઘ્ન આવે તો વિઘ્ન, વિઘ્ન લાગવું ન જોઈએ. કુદરતી રીતે જ સાધનસમ્પત્તિ મળે; આપણા કરતાં બીજા કોઈ એ પ્રવૃત્તિ સારી રીતે કરતા હોય ત્યારે તે જોઈને આ કઈ રીતે બને'-આવી જિજ્ઞાસા થવી અને તે તે અનુષ્ઠાનના જ્ઞાતાઓની સેવા કરવી-આ છ, સદનુષ્ઠાનનાં લક્ષણો છે. ગાથામાં ‘આવાવિદ્યુત્ત’- આ પ્રમાણે જે લખ્યું છે ત્યાં ‘આવિ' પદથી કરણમાં પ્રીતિ.. ઈત્યાદિનો સંગ્રહ કર્યો છે. આ પ્રમાણે આદરાદિથી યુક્ત વિધિપૂર્વક કરાતું ઉત્તમ જે દેવપૂજન છે તે જ દેવાર્ચન ઈષ્ટ છે અર્થાત્ ઈષ્ટફલને આપનારું છે. અન્ય દેવાર્ચન, નામથી જ દેવાર્ચન છે. એનાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ગુણો પ્રત્યેનું બહુમાન, વિધિપૂર્વકનું આસેવન અને આદરાદિ છ લક્ષણોનું અસ્તિત્વ; દેવાર્ચનાદિ અનુષ્ઠાનોને વિવક્ષિત-ઈષ્ટ ફલને આપનારાં બનાવે છે. તે તે અનુષ્ઠાનો કરતી વખતે ગુણો પ્રત્યે બહુમાન વગેરે ન હોય તો તે તે અનુષ્ઠાનો ઈષ્ટ વસ્તુઓને આપનારાં બનશે નહિ-એ સમજી શકાય છે. ।।૫-૧૪॥
***
પૂર્વે જણાવ્યા મુજબ દાન અને દેવપૂજાના પારમાર્થિક સ્વરૂપના વર્ણનના સંબંધમાં દરેક અનુષ્ઠાનોની પારમાર્થિકતા
૧૭