________________
જ છે. મહાદાનનું જે ફળ છે એવું ફળ એવા પ્રકારના દાનનું નથી - એ સમજાવવા માટે અહીં દાન અને મહાદાનનો ફરક સમજાવ્યો છે, જે ધર્માર્થી જનોએ કોઈ પણ રીતે યાદ રાખવો જોઈએ... પ-૧૩
આ રીતે મહાદાન અને દાનની વિશેષતા જણાવીને દેવપૂજાના વિષયમાં તેની વિશેષતાને જણાવાય છે –
देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्तं यत्तद्देवार्चनं चेष्टम् ॥५-१४॥
વિધિપૂર્વક સેવા કરવાથી દાનાદિના વિષયમાં ઉપર જણાવ્યા મુજબ દાનાદિ મહાદાનાદિ બને છે, અન્યથા દાનાદિ દાનાદિ જ રહે છે. આવી જ રીતે વિધિપૂર્વક દેવપૂજા કરવાથી દેવપૂજા વાસ્તવિક રીતે દેવપૂજા બને છે; અન્યથા દેવપૂજા દેવપૂજા જ છે - આવી વાતને જણાવવા માટે આ ચૌદમી ગાથા છે.
ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે “દેવના ગુણોને સારી રીતે જાણીને તેની પ્રત્યેના બહુમાનથી યુક્ત અને આદર પ્રીતિ વગેરેથી યુક્ત એવું વિધિપૂર્વકનું ઉત્તમ દેવપૂજન ઈષ્ટ છે.” આશય એ છે કે વીતરાગતા, સર્વજ્ઞતા અને માર્ગદશકતા. વગેરે દેવગુણોને વાસ્તવિક રીતે જાણીને તે ગુણોની પ્રત્યે જે બહુમાન થાય છે તે બહુમાનને લઈને જ દેવની પૂજા કરવી જોઈએ. એ પણ શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં પરમતારક શાસ્ત્રમાં જણાવેલી વિધિપૂર્વક કરવી જોઈએ. શાસ્ત્રાનુસારી એ