________________
પણ દાન મહાદાનસ્વરૂપ છે. ન્યાયથી પ્રાપ્ત અર્થનું દાન નૃત્યવર્ગના ઉપરોધનું કારણ નહીં બનવું જોઈએ. નૃત્યમધ્યવર્ગમાં માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ-બહેન..વગેરેનો સમાવેશ થાય છે. ન્યાયોપાત્ત અર્થનું દાન એ રીતે કરવાનું નથી કે જેથી માતાપિતા વગેરે પરિજનોની જરૂરિયાતને હાનિ પહોંચે. સ્વપરિજનોને પોતાને જે ઈષ્ટ છે તેની પ્રાપ્તિમાં બાધા ન આવે તેનો ખ્યાલ રાખીને ન્યાયોપાત્ત અર્થનું દાન કરાય તો તે દાન ભૃત્યાનુપરોધિ દાન કહેવાય છે.
ન્યાયોપાત્તનું મૃત્યાનુપરોધિ પણ દાન માતા પિતા ગેરે ગુરુજનોની અનુજ્ઞા-અનુમતિથી આપવું જોઈએ. આમ પણ આપણી કોઈ પણ પ્રવૃત્તિ તે તે ગુરુજનોની સંમતિપૂર્વકની ડોવી જોઈએ. એટલે શાસ્ત્રવિહિત આ દાનાદિની પ્રવૃત્તિ પણ પર જણાવ્યા મુજબ ગુરુજનોની સંમતિપૂર્વકની હોવી જોઈએ-એ સમજી શકાય છે. લોકોત્તરમાર્ગમાં જ નહિ, રૌકિકમાર્ગમાં પણ ગુરુપારતન્ત્યનું મહત્ત્વ સમજાવવાની ભાવશ્યકતા નથી. સૌ કોઈને તેનો ખ્યાલ છે જ. વધુપડતા ત્સાહી બની ગુરુજનોને પૂછ્યા વિના કે તેમની અનુમતિ ળવ્યા વિના જ આજે જે રીતે દ્દાનાદિની પ્રવૃત્તિ ચાલે છે તે મહાદાનાદિ-સ્વરૂપે પરિણમતી નથી. આ રીતે ન્યાયોપાત્ત અર્થનું દાન દીનાદિને કે તપસ્વી વગેરેને આપવામાં આવે તો તે દાન મહાદાન'સ્વરૂપે પરિણમે છે. અન્યથા દીન કે તપસ્વી વગેરેને અપાયેલું દાન ન્યાયોપાત્ત અર્થથી અપાયેલું ન હોય તેમ જ ભૃત્યોપરોધિ હોય અને ગુરુજનોની અનુજ્ઞા વિનાનું હોય તો તે દાન મહાદાન નથી. એ દાન માત્ર દાન
૧૫