________________
વખતે ગુણો દોષરૂપે પરિણમે છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે ઔચિત્યની પ્રવૃત્તિથી દાનાદિના વિષયમાં સૂત્રાનુસારી વિધિસેવા શક્ય બને છે. પ-૧ર
બારમી ગાથામાં વિધિસેવાના વિષય તરીકે દાનાદિ જણાવ્યાં છે. તેમાં દાન અને મહાદાનમાં જે વિશેષતા છે. તે જણાવાય છે –
न्यायात्तं स्वल्पमपि हि भृत्यानुपरोधतो महादानम् ।। दीनतपस्ख्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥५-१३॥
ગુરુજનોની આજ્ઞાથી દીન, તપસ્વી વગેરેને ન્યાયનીતિથી પ્રાપ્ત કરેલ થોડું પણ; મૃત્ય[ભરણ-પોષણ કરવા યોગ્ય પરિવારજનોને અન્તરાય ન થાય-એ રીતે આપવું તેને મહાદાન' કહેવાય છે. એ સિવાય જે અપાય છે તેને “દાન કહેવાય છે-આ પ્રમાણે તેરમી ગાથાનો સામાન્યાર્થ છે.
આશય એ છે કે ન્યાયથી પ્રાપ્ત કરેલા અર્થનું દાન જ “મહાદાન' કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોએ પોતપોતાની જાતિની અપેક્ષાએ વિહિત એવા વ્યવસાયથી ન્યાય-નીતિપૂર્વક મેળવેલા અર્થ-ધનાદિને “ન્યાયાત્ત' [ન્યાયોપાત્ત] કહેવાય છે. સામાન્ય રીતે બ્રાહ્મણોનો વ્યવસાય અધ્યાપન છે. ક્ષત્રિયોનો વ્યવસાય રક્ષા કરવાનો છે. વૈશ્યોનો વ્યવસાય વ્યાપાર છે અને શૂદ્રોનો વ્યવસાય ચર્મ-ઉદ્યોગાદિ છે. આવા વ્યવસાયાદિથી, સ્વામીદ્રોહાદિ અન્યાય કર્યા વિના જે ઘન વગેરે પ્રાપ્ત થાય છે તે “ન્યાયાર’ છે. આ ન્યાયારૂનું થોડું