________________
આશય એ છે કે દાનાદિના વિષયમાં આગમને અનુસરી, આગમને અભિમત એવી ન્યાયસંગત વિધિપૂર્વક સેવા ગુરુષારતન્યાદિથી થાય છે. દાનાદિના વિષયમાં સર્વાર્ગે પરિશુદ્ધ પ્રવૃત્તિ સ્વરૂપ વિધિસેવા પ્રમાયથાર્થ-ભ્રમ વિનાત્મક આગમજ્ઞાનને અનુસરનારી જ હોય છે. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાની આધીનતા સ્વરૂપ ગુરુપારતન્યના યોગે અને દીન, અબ્ધ કે કૃપણ વગેરેમાં બધે ઔચિત્યના આસેવનથી જ ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક સેવા થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણેના જ્ઞાનથી કે ઔચિત્યનો પરિહાર-ત્યાગ કરવાથી વિધિપૂર્વકસેવા થતી નથી. [ આથી સમજી શકાશે કે વિધિના પાલન માટે આગમનું અનુસરણ કરવું જોઈએ. પોતાની ઈચ્છાનું અનુસરણ કરવાથી વિધિપૂર્વક આચરણ નહિ થાય. આગમના અનુસરણ માટે તેના યથાર્થજ્ઞાનની આવશ્યકતા છે, જે ગુરુપારતન્યથી જ શક્ય છે. આગમનું યથાર્થજ્ઞાન ગુરુદેવશ્રી પાસેથી જ પ્રાપ્ત થતું હોય છે. તેઓશ્રીનું પારતન્ય સ્વીકાર્યા વિના તેઓશ્રી પાસેથી આગમનું યથાર્થજ્ઞાન નહિ થાય. ગુરુષારતત્યની જેમ જ સર્વત્ર ઔચિત્યનું સેવન પણ આગમના યથાર્થજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે. ઔચિત્યના આસેવનથી વિનયાદિગુણની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાનનું પ્રધાન કારણ છે. આમ જોઈએ તો ઔચિત્ય બધા જ ગુણોનું મૂળ છે. એક તરફ બધા ગુણોનો સમુદાય રાખીએ અને બીજી તરફ ઔચિત્ય રાખીએ તો બંનેની સમાનતાનો ખ્યાલ આવશે. ઔચિત્યના અતિક્રમણથી ગુણોનું મહત્ત્વ રહેતું નથી. આવા