SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આશય એ છે કે દાનાદિના વિષયમાં આગમને અનુસરી, આગમને અભિમત એવી ન્યાયસંગત વિધિપૂર્વક સેવા ગુરુષારતન્યાદિથી થાય છે. દાનાદિના વિષયમાં સર્વાર્ગે પરિશુદ્ધ પ્રવૃત્તિ સ્વરૂપ વિધિસેવા પ્રમાયથાર્થ-ભ્રમ વિનાત્મક આગમજ્ઞાનને અનુસરનારી જ હોય છે. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાની આધીનતા સ્વરૂપ ગુરુપારતન્યના યોગે અને દીન, અબ્ધ કે કૃપણ વગેરેમાં બધે ઔચિત્યના આસેવનથી જ ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક સેવા થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણેના જ્ઞાનથી કે ઔચિત્યનો પરિહાર-ત્યાગ કરવાથી વિધિપૂર્વકસેવા થતી નથી. [ આથી સમજી શકાશે કે વિધિના પાલન માટે આગમનું અનુસરણ કરવું જોઈએ. પોતાની ઈચ્છાનું અનુસરણ કરવાથી વિધિપૂર્વક આચરણ નહિ થાય. આગમના અનુસરણ માટે તેના યથાર્થજ્ઞાનની આવશ્યકતા છે, જે ગુરુપારતન્યથી જ શક્ય છે. આગમનું યથાર્થજ્ઞાન ગુરુદેવશ્રી પાસેથી જ પ્રાપ્ત થતું હોય છે. તેઓશ્રીનું પારતન્ય સ્વીકાર્યા વિના તેઓશ્રી પાસેથી આગમનું યથાર્થજ્ઞાન નહિ થાય. ગુરુષારતત્યની જેમ જ સર્વત્ર ઔચિત્યનું સેવન પણ આગમના યથાર્થજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે. ઔચિત્યના આસેવનથી વિનયાદિગુણની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાનનું પ્રધાન કારણ છે. આમ જોઈએ તો ઔચિત્ય બધા જ ગુણોનું મૂળ છે. એક તરફ બધા ગુણોનો સમુદાય રાખીએ અને બીજી તરફ ઔચિત્ય રાખીએ તો બંનેની સમાનતાનો ખ્યાલ આવશે. ઔચિત્યના અતિક્રમણથી ગુણોનું મહત્ત્વ રહેતું નથી. આવા
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy