________________
જેથી તે અનુષ્ઠાન સદનુષ્ઠાન કહેવાય છે - તે જણાવાય છે–
दशसंज्ञाविष्कंभणयोगे सत्यविकलं ह्यदो भवति । परहितनिरतस्य सदा गंभीरोदारभावस्य ॥५-१०॥
“પરોપકાર કરવામાં તત્પર અને હમેશાં ગંભીર તથા ઉદાર આશયવાળા આત્માનું સદનુષ્ઠાન દશ પ્રકારની સંજ્ઞાઓના નિરોધના કારણે અવિકલ-પરિપૂર્ણ બને છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પરહિત કરવામાં જેઓ તત્પર છે અને જેમનો આશય ઉદાર અને ગંભીર છે, તેમનું અનુષ્ઠાન [સદનુષ્ઠાન અવિકલ-પરિપૂર્ણ બને છે. કારણ કે એ આત્માઓ શક્તિ અનુસાર દશ સંજ્ઞાઓને રોકે છે અથવા તેના નિરોધમાં ઉત્સાહવાળા હોય છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા - આ દશ સંજ્ઞાઓ છે. આહારાદિના ઈચ્છાદિના પરિણામવિશેષને સંજ્ઞા કહેવાય છે. વેલડી વગેરે જેને લઈને વૃક્ષ ઉપર ચઢી જવા વગેરેની પ્રવૃત્તિ કરે છે-તેને ઓઘસંજ્ઞા કહેવાય છે. અને લોકોનું રંજન કરવા માટે કરાતી પ્રવૃત્તિના પરિણામને લોકસંજ્ઞા કહેવાય છે. અનુષ્ઠાનને વિકલ બનાવનારી આ દશ સંજ્ઞાઓ છે. તેની શક્તિ અનુસાર નિરોધ કરવાથી સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે. આ રીતે સદ્ધોધના કારણે સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે; અને સબોધના કારણે સદનુષ્ઠાન વિશિષ્ટ કોટિનું બને છે એમાં મુખ્ય હેતુ સંજ્ઞાઓનો નિરોધ છે. સંજ્ઞાઓનો નિરોધ સંબોધથી જ શક્ય બને છે.