SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવાય છે. નવમી ગાથામાં વર્ણવાયેલી વાત નિરંતર યાદ રાખવાની જરૂર છે. આગમનાં વચનો પરિણામ પામે નહિ તો મોક્ષસાધક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના અર્થ આત્માઓને ચારિત્રનું મહત્ત્વ સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. તેઓ સારી રીતે સમજે છે કે સર્વવિરતિધર્મની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. ચારિત્રની પ્રાપ્તિ માટે આગમના વચનની પરિણતિ અનિવાર્ય છે. મોક્ષાર્થી જનોને એની ઉપેક્ષા કરવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. એ જાતની ઉપેક્ષા કરનારાને મોક્ષાર્થી માની લેવાની ભૂલ કરવાનું કોઈ જ કારણ નથી. વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. આગમના વચનની પરિણતિની ઉપેક્ષા જ નહીં, પરંતુ ઘોર અવજ્ઞા થઈ રહી છે. એ માટે વ્યવસ્થિત તંત્ર ગોઠવાયું છે. જેમના શિરે આગમનાં વચનોની પરિણતિનું મહત્ત્વ સમજાવવાની જવાબદારી છે, એ જ્યારે બેજવાબદાર બનવા લાગે ત્યારે ખૂબ જ વિચિત્ર સ્થિતિ સર્જાય છે. એને દૂર કરવાનું સામર્થ્ય ન હોય તોપણ એના ભોગ બની ના જઈએ-એટલી તકેદારી આપણે રાખવી જોઈએ. અન્યથા મોક્ષની સાધના કરવાનું આપણાથી શક્ય નહીં બને. આપના કોઈ ન લેવાની જર વચિત્ર છે. આથઈ રહી સદ્ધોધના કારણે અનુષ્ઠાન પરિપૂર્ણ કઈ રીતે થાય છે, સર્બોધપૂર્વકના અનુષ્ઠાનમાં એવી કઈ વિશેષતા છે કે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy