________________
આગમનું વચન પરિણમવાથી આહારાદિ દશ સંજ્ઞાઓની ભયંકરતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. સંસારમાં આપણા પરિભ્રમણનું એ એક મોટું કારણ છે. સંસારના ઉચ્છેદ માટે પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુઓએ સદનુષ્ઠાનમાં પ્રયત્ન કરતાં પૂર્વે દશ સંજ્ઞાઓને રોકવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનિરુદ્ધ રોકવામાં નહિ આવેલી સંજ્ઞાઓ સદનુષ્ઠાનને સદનુષ્ઠાનરૂપે પરિણમવા દેશે નહિ. આહારાદિના તકૂપ આત્મપરિણામને સંજ્ઞા તરીકે ઓળખાય છે. એનો નિરોધ કરવા માટે સબોધની પ્રાપ્તિ કર્યા વિના ચાલે એવું નથી. સંજ્ઞાઓને રોકવા માટે આગમના વચનનું પરિશીલન નિરંતર કરવું જોઈએ. આપણને સારભૂત જણાતી વસ્તુઓની અસારતાનો ખ્યાલ આપવાનું કાર્ય શાસ્ત્રકાર પરમર્ષિઓએ નિરંતર કર્યું છે. એ પરમતારક વચનોની પરિભાવનાથી આત્માને ભાવિત બનાવીએ તો સંજ્ઞાઓનું વિખંભણ ખૂબ જ સરળતાથી થઈ શકશે. ગમે તે કારણ હોય પરંતુ સંજ્ઞાઓના નિરોધ માટેના અદ્ભુત સાધનની આપણે ઉપેક્ષા કરીએ છીએ-એ માનવું જ પડશે, જે મુમુક્ષુ આત્માઓ માટે યોગ્ય નથી.. //પ-૧all
આહારાદિ દશ સંજ્ઞાઓનું વિખંભણ [નિરોધ દુર્લભ છે, તે કઈ રીતે પ્રાપ્ત થાય અર્થાત્ તે કઈ રીતે કરી શકાય - આ શંકાનું સમાધાન કરાય છે –