________________
આરાધના કરનારાને પણ અવિધિના આરાધક માનવાનો અનિષ્ટ પ્રસંગ આવશે.. Hપ-શા
અવિધિસેવા'ના વિષયમાં જ બીજી વાત કરાય છે. જેમ આગમપ્રદીપના અધ્યારોપ-ભ્રમનું લિંગ અવિધિસેવા છે તેમ તે બીજા કોનું લિંગ છે-તે જણાવાય છે -
येषामेषा तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादशः को नाम विषे प्रवर्तेत ? ॥५-७॥
જેમને ઉપર જણાવ્યા મુજબ પાપસ્વરૂપ અવિધિસેવા છે તેમને આગમનું વચન સારી રીતે પરિણામ પામેલું નથી. કારણ કે જે અમૃતરસના સ્વાદનો જ્ઞાતા છે, તે વિષભક્ષણમાં કઈ રીતે પ્રવૃત્તિ કરે ?-આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે જે જીવો અવિધિપૂર્વક ધર્મની આરાધના કરે છે, તેમને આગમનું વચન એટલે કે શ્રી સર્વજ્ઞભગવંતનું વચન સારી રીતે પરિણામ પામેલું નથી. અર્થાત્ આગમથી જે પદાર્થ જાણી શકાય છે; તે પદાર્થોનો હેય અને ઉપાદેય સ્વરૂપે વિષયવિભાગ તે જીવોને જણાયો નથી. તેથી તે જીવોને થયેલું આગમનું જ્ઞાન હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને [જ્ઞાનના ફળને પ્રાપ્ત કરાવી શકે તે પ્રમાણે પરિણમેલું હોતું નથી.
આ પ્રમાણે માનવાનું કારણ એ છે કે, જે અમૃતરસનો જાણકાર છે તે, મારી નાખનાર વિષમાં કઈ રીતે પ્રવર્તે ? આવા જીવો કોઈ પણ સંયોગોમાં વિષ ખાવાની પ્રવૃત્તિ કરતા