SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને ફળના ઉપાયમાં ચોક્કસ જ ભ્રમ થયો છે, આગમપ્રદીપમાં અધ્યારોપસ્વરૂપ છે. આગમપ્રદીપાદિમાં ભ્રમ વિના ફળના અનુપાયમાં કોઈ પણ રીતે ફલાર્થીની પ્રવૃત્તિ શક્ય નથી. સામાન્યબુદ્ધિથી પણ વિચાર કરવાથી એ સમજી શકાય છે કે સાધ્યની [કાર્યની] સિદ્ધિ સાધનના [કારણના આસેવનથી જ થાય. સાધ્યનો અર્થી સાધનને ન સેવે અને સાધનથી ભિન્નની [જે સાધન નથી તેની] સેવા કરે તો સાધ્યની સિદ્ધિ કઈ રીતે થાય ? મોક્ષના અર્થીઓને એ વસ્તુનો ખ્યાલ હોય છે કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ વિધિપૂર્વક જ ધર્મારાધનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા સંયોગોમાં જો તેઓ અવિધિનું આસેવન કરે તો તે મોક્ષના અર્થીને આગમમાં ભ્રમ થયો છે-એમ માન્યા વિના ચાલે એવું નથી..વગેરે સારી રીતે સમજી લેવું જોઈએ. અવિધિની આસેવા [આચરણ], આગમસ્વરૂપ પ્રદીપમાં અધ્યારોપનું પ્રગટ લિંગ છે. વિધિપૂર્વકની ધર્મારાધનાથી જ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે-આવી શ્રદ્ધાને કેળવ્યા પછી મોક્ષના અર્થીને અવિધિની આસેવા કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે કોઈ વાર શક્તિના અભાવાદિને લઈને અવિધિ થતી જણાતી હોય તોપણ તે ખરી રીતે અવિધિ નથી. અપવાદના સ્થાને સેવાતા અપવાદ પણ એક માર્ગ છે. તેની આરાધના કરનાર આત્માને અવિધિનો આસેવક ન કહેવાય. અવિધિ અને વિધિ - એ બેમાં જે ફરક છે-તેને ખૂબ જ સ્વસ્થતાપૂર્વક સમજી લેવાની આવશ્યકતા છે. અન્યથા અપવાદના સ્થાને અપવાદની ૧૫૨ g2
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy