________________
અવિધિસેવા[આચરણાદિ] થાય છે. અન્યથા આગમપ્રદીપમાં જેમને ભ્રમ થયો નથી-એવા તત્ત્વદર્શીઓને પાપસ્વરૂપ એવી અવિધિસેવા કઈ રીતે થાય ?” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે દાન, શિયળ, તપ અને ભાવ સ્વરૂપ ધર્મનું આગમમાં મોક્ષાદિ-ફળ બતાવ્યું છે, તે જ દાનાદિધર્મનું આસેવન જ્યારે અવિધિપૂર્વક થાય છે ત્યારે તે આત્માઓને આગમપ્રદીપમાં અધ્યારોપ-ભ્રમ થયો છે-એમ માન્યા વગર ચાલે એવું નથી. આગમમાં જણાવેલાં તે તે મોક્ષાદિફળના આશયથી વિહિત કરાયેલા છે તે ધર્મનું આચરણ વિધિપૂર્વક કર્યું ન હોય તો તે તે આત્માને તે તે ફળની પ્રાપ્તિ થતી નથી. આનો ખ્યાલ હોવા છતાં તે તે આત્માઓ જો અવિધિનું આસેવન કરતા હોય તો તે આત્માઓને આગમપ્રદીપમાં ચોક્કસ જ ભ્રમ થયો છે. જો આવું ન હોય તો આગમના તત્ત્વ-પરમાર્થને જોનારા અને તેને પ્રામાયનો સ્વીકાર કરનારા આત્માઓને એવી પાપસ્વરૂપ અવિધિસેવા કેમ થતી નથી? ફલના અર્થીએ ફલના ઉપાયમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ-એ સમજી શકાય છે. ઉપાયની સેવા અવિધિથી કરાય તો કોઈ પણ સંયોગોમાં ફલની સિદ્ધિ થતી નથી. મોક્ષના અર્થીએ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ વિધિપૂર્વક જ સમ્યજ્ઞાનાદિસ્વરૂપ ઉપાયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અવિધિપૂર્વક સેવેલા તે ઉપાયો મોક્ષનાં કારણ બનતા નથી..
આમ છતાં જ્યારે પણ ફળના અર્થજનો અવિધિનું આસેવને ફળના ઉપાય તરીકે કરે ત્યારે માનવું જ રહ્યું કે