________________
આગમતત્ત્વ પરિણામ પામતું નથી. એટલું જ નહિ પરંતુ વિપરીત રીતે પરિણામ પામે છે. દૃષ્ટિદોષના વિગમ વિના આગમતત્ત્વ કોઈ પણ રીતે પરિણમે નહિ. ચરમાવર્તકાળમાં જ એ પરિણમે-એવી યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. એનો અર્થ એ નથી કે ચરમાવર્તમાં આગમતત્ત્વ દરેક જીવને પરિણમે છે. એવી જાતની યોગ્યતાની સાથે સદ્ગુરુદેવશ્રીના શ્રીમુખે આગમતત્ત્વના શ્રવણ વગેરેની પણ અપેક્ષા છે. સામગ્રીની પૂર્ણતાથી જ કાર્ય નિષ્પન થતું હોય છે. અચરમાવર્તકાળમાં તે તે આત્માઓને એવી સામગ્રી મળવા છતાં આગમતત્ત્વ પરિણમતું નથી. તેથી આગમતત્ત્વ પરિણમે તો શરમાવકાળમાં જ પરિણમે, અચરમાવર્તકાળમાં નહિ આ પ્રમાણે નિયમ છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું. પ-પો
આગમપ્રદીપમાં જ કારણથી જ અધ્યારોપ મંડલના કારણે તત્ત્વથી અસનું દર્શન થાય છે, તે જાણવા માટે તેના કાર્યસ્વરૂપ લિંગ-
ચિનને જણાવાય છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અચરમાવર્તવર્તી જીવોને આગમમાં ભ્રમ થવાથી સર્વદા તત્ત્વને આશ્રયી અસનું દર્શન થાય છે તે સમજવા માટે તેના કાર્યસ્વરૂપ લિંગ-લક્ષણને જણાવાય છે. [છઠ્ઠી ગાથાની અવતરણિકામાં “યત પ્રવા...પત્તિ' આવો પાઠ છે તે અપૂર્ણ લાગે છે.]
तत एवाविधिसेवा दानादौ तत्प्रसिद्धफल एव । तत्तत्त्वदृशामेषा पापा कथमन्यथा भवति ? ॥५-६॥
“આગમપ્રદીપમાં બ્રાન્તિ થવાથી જ આગમમાં જેનું ફળ પ્રસિદ્ધ છે એવા જ દાનાદિ ધર્મના વિષયમાં