________________
એમ જણાવ્યું છે તેને જણાવતાં ફરમાવ્યું છે કે -
आगमदीपेऽथ्यारोपमण्डलं तत्त्वतोऽसदेव तथा । पश्यन्त्यपवादात्मकमविषय इह मन्दधीनयनाः ॥५-५॥
“મન્દ છે બુદ્ધિસ્વરૂપ નયનો જેનાં એવા મંદબુદ્ધિવાળા આત્માઓ આ લોકમાં આગમસ્વરૂપ પ્રદીપમાં અપવાદનો વિષય ન હોવા છતાં અપવાદસ્વરૂપે ભ્રાન્તિમંડલને વસ્તુતઃ અસત જ જુએ છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે અચરમાવર્તકાળમાં પૂર્વે જણાવ્યા મુજબ આગમતત્ત્વ પરિણામ પામતું નથી. તે જણાવતાં આ પાંચમી ગાથામાં ફરમાવ્યું છે કે એ જીવોને આગમસ્વરૂપ દીપકમાં ભ્રમ થવાના કારણે મંડલ-ગોળ આકાર અથવા ભ્રમસમૂહ દેખાય છે, જે પરમાર્થથી વિદ્યમાન હોતું નથી. સામાન્યથી મોરનાં પીછાંના ગુચ્છકાકાર અને રક્ત-નીલવર્ણવાળું પ્રદીપની ચારે બાજુ મન્દ આંખોવાળા મંડલ જેમ જુએ છે તેમ આ મન્દબુદ્ધિવાળા પણ આગમપ્રદીપમાં ઉપર જણાવ્યા મુજબ ભ્રમને લઈને મંડલાકા-જેવું અસદ્ વસ્તુને જોતા હોય છે.
આંખના નૈમિરિક નામના દોષવિશેષના કારણે પ્રદીપની આસપાસ જેમ લાલલીલું વર્તુળદેખે છે તેમ દૃષ્ટિદોષમિથ્યાત્વાદિ]વિશેષના કારણે જીવને આગમપ્રદીપમાં ભ્રમાત્મક દર્શન થતું હોય છે. તેથી અપવાદનો જ્યાં વિષય નથી ત્યાં અવિદ્યમાન એવા અપવાદને મન્દબુદ્ધિસ્વરૂપ આંખોવાળા માણસો જોતા હોય છે. આ રીતે તેઓ પરમાર્થથી અસત જ વસ્તુને જોતા હોય છે.
આથી સમજી શકાશે કે અચરમાવર્તવર્તી જીવોને