________________
નથી. અહીં વિષ ખાવાની પ્રવૃત્તિ જેવી અવિધિસેવા છે; અને અમૃતરસાસ્વાદ જેવી વિધિસેવા છે. તે અમૃતરસાસ્વાદ જેમણે અનુભવ્યો છે તે આત્માઓ અવિધિસેવા કોઈ પણ રીતે ન કરે એ સ્પષ્ટ છે. આથી સમજી શકાય છે કે જેઓ અવિધિ-સેવા કરે છે એવા જીવોને આગમવચન; ઉપર જણાવ્યા મુજબ પરિણામ પામ્યું નથી. ફલના અર્થીને ફલના ઉપાયના જ્ઞાનની જેમ જ ફલના અનુપાયજે ઉપાય નથી તેનો પણ ખ્યાલ હોવો જ જોઈએ. “અવિધિસેવા' મોક્ષાદિકલનો ઉપાય નથી. મોક્ષના અર્થીજનોએ તેના અનુપાયસ્વરૂપ અવિધિસેવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે એવી દુષ્ટ પ્રવૃત્તિ ઈષ્ટની સિદ્ધિનું કારણ નથી. અવિધિસેવાને વિષભક્ષણની પ્રવૃત્તિ જેવી વર્ણવીને ગ્રંથકારશ્રીએ અવિધિસેવાની ભયંકરતા ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે, જેને મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવી જોઈએ. આપ
“અવિધિસેવા કરનારને આગમવચન પરિણમતું નથીઆ પ્રમાણે નિષેધરૂપે જણાવીને હવે તે આગમવચન કોને પરિણમે છે-એ વિધિસ્વરૂપે વર્ણવાય છે –
तस्माच्चरमे नियमादागमवचनमिह पुद्गलावर्ते । परिणमति तत्त्वतः खलु स चाधिकारी भवत्यस्याः ॥६-८॥
“અવિધિની સેવા કરનારાને ઉપર જણાવ્યા મુજબ આગમનું વચન પરિણમતું નથી. તેથી આ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આગમનું વચન નિયમે કરી તાત્ત્વિક રીતે