SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય કર્માદિ. કારણને ગૌણ કહેવાય છે. સુતરિમાવે પિ અહીં “સુરત” પદથી સુકૃત-દુષ્કત-સ્વરૂપ સામાન્યથી કર્મમાત્રનું ગ્રહણ કરવાનું છે. અહીં ચરમાવર્તકાળની પ્રાપ્તિના કારણની વિચારણી હોવાથી સુકૃતનું ગ્રહણ કર્યું છે. સર્વસામાન્ય કાર્યમાત્રની પ્રત્યે કારણભૂત સામગ્રીમાં સુકૃતાદિનો સમાવેશ તો છે જ. પરંતુ ચરમપુદ્ગલપરાવર્તકાળની પ્રાપ્તિ માટે સુકતાદિ મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ તો કાળ જ છે. અહીં “સુતે' પદથી ઉપર જણાવ્યા મુજબ કર્મનસામાન્યનું ગ્રહણ કર્યું છે. અને “મરિ’ પદથી નિયતિ, પુરુષાર્થ, સ્વભાવ વગેરે ગૃહીત છે. નિયતિ ભવિતવ્યતાને સમજાવે છે. નિયતિ વગેરેનું સ્વરૂપ અન્યગ્રન્થોથી અથવા તેના જાણકારો પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ઉપર જણાવેલી વાતને દૃષ્ટાંતથી સમજાવવા ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે જેમ તાવને શમાવનારું પણ ઔષધ; તાવ ચઢતો હોય ત્યારે અપાય તો કોઈ પણ ગુણફાયદો થતો નથી, ઉપરથી દોષને કરનારું બને છે; પરંતુ તાવ ઊતરતો હોય તો તે જ ઔષધ ગુણને કરનારું બને છે. આ રીતે કાળની પરિપક્વતામાં જ ઔષધ ગુણકારી બને છે. તેમ સદ્ધર્મસ્વરૂપ ઔષધ પણ ચરમાવર્તકાળમાં અપાય તો જ ગુણકારક બને છે. અચરમાવર્તકાળમાં અપાય તો ગુણકારક બનતું નથી, પણ ઉપરથી દોષોનું કારણ જ બને છે. આ રીતે કાળની પરિપક્વતાના કારણે ચરમાવમાં જ સધર્મસ્વરૂપ ઔષધ ગુણકારી બને છે-એમ આગમના જાણકારો નિપુણતાપૂર્વક જાણે છે. પ-૩
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy