________________
સ્વરૂપ ‘અમ્યુચ્ચય’ અહીં સ્પષ્ટ હોવા છતાં ષોડશક પ્રકરણ ભા. ૧માં જે રીતે તેનું વર્ણન કરાયું છે-તે તેના વર્ણન કરનારા પાસેથી જ સમજી લેવું પડશે.. ॥૫-૨॥
***
આ ચરમપુદ્ગલપરાવર્ત્તકાળ કયા કારણે થાય છે આવી શંકાનું સમાધાન કરવા માટે કહે છે
स भवति कालादेव प्राधान्येन सुकृतादिभावेऽपि । ज्वरशमनौषधसमयवदितिं समयविदो विदु र्निपुणम् ||५-३॥
એ ચરમાવર્ત્તકાળ; સુકૃતાદિ કારણો હોવા છતાં મુખ્યપણે કાળના કારણે જ થાય છે. તાવને દૂર કરનારું ઔષધ તાવ દૂર થવાના સમયમાં જેમ પોતાનું કાર્ય કરે છે તેમ આ ચરમપરાવર્ત્તકાળ પણ કાળની મુખ્યતાએ જ થતો હોય છે-આ પ્રમાણે આગમના જાણકારો સારી રીતે જાણે છે. ત્રીજી ગાથાનો પરમાર્થ એ છે કે
-
મુખ્યપણે કાળના કારણે જ ચરમાવર્ત્તકાળની પ્રાપ્તિ થતી હોય છે. ચરમાવર્ત્તકાળના કારણની વિચારણા કરીએ તો મુખ્ય-પ્રધાન કારણ કાળ જ છે-એમ માનવું રહ્યું. એ વખતે કર્મ, પુરુષાર્થ વગેરે કારણ હોવા છતાં તે ગૌણ છે. તેથી તે કર્માદિકારણોની અપેક્ષાનો વિલંબ રહેતો નથી. આવા વિલંબનો જે અભાવ છે તે વિલંબાભાવ જ કાળનું પ્રાધાન્ય છે. આશય એ છે કે જ્યારે ચરમાવર્ત્તકાળનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ, પુરુષાર્થ કે નિયતિ વગેરે છે કે નહિએ જોવાતું નથી. આને જ કાળની પ્રધાનતા કહેવાય છે. અને
૧૪૬