________________
છે. ઔદારિક, વૈક્રિય, કાર્પણ, તૈજસ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન વર્ગણાનાં પુદ્ગલો દ્વારા પરિણામ પામેલાં બધાં જ પુદ્ગલોને ગ્રહણ કરવા માટે જીવને જે સમય લાગે તે સમયને આગમની પરિભાષામાં પુદ્ગલપરાવર્ત’ કહેવાય છે. જેમાં અનંતી ઉત્સર્પિણીઓ અને અનંતી અવસર્પિણીઓ સમાય છે. એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી-એ બંન્ને મળીને એક ‘કાળચક્ર' થાય છે. આવાં અનંતાં કાળચક્રોનો એક પુદ્ગલપરાવર્ત્તકાળ થાય છે. અનંતાનંત પુદ્ગલપરાવર્તો આજ સુધીમાં આ સંસારમાં આપણે વિતાવ્યાં છે. મોક્ષપ્રાપ્તિ માટે જે જીવોનો હવે એક પુદ્ગલપરાવર્ત્તથી વધારે કાળ બાકી નથી એવા જીવોને ચરમાવર્ત્તવર્ણી કહેવાય છે. એ અધિકારી એવા ચરમાવર્ત્તવર્તી આત્માને જ આવા પ્રકારની લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે. અન્ય[અચરમ] પુદ્ગલપરાવર્ત્તકાળમાં લોકોત્તરંતત્ત્વની સમ્પ્રાપ્તિ થતી નથી.
•
ઉપર જણાવેલી વાતથી અનુક્ત [નહિ જણાવેલી] વાતને પણ સમજી લેવાની છે એ જણાવતાં પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે અમ્યુચ્ચયપક્ષોઽયમ્.. આશય એ છે કે જે કારણથી અન્યદર્શનસંબંધી કે સ્વદર્શનસંબંધી અપુનર્બન્ધકાવસ્થાની ક્રિયાઓ પણ અચરમાવર્ત્તકાળમાં પ્રાપ્ત થતી નથી. કારણ કે ‘મુવલ્લાસગો વિ નન્નત્ય હો' (વિંશતિ વિશિા ૪/૨ ગાથા) આ વચનથી ત્યાં[અચરમાવર્તમાં] મોક્ષનો આશય પણ પ્રાપ્ત થતો નથી-આ પ્રમાણે મોક્ષના આશયનો સ્પષ્ટ નિષેધ છે. આ રીતે અનુક્ત વાતનું અનુસંધાન કરી ઉક્તવાતનું સમર્થન કરવા
૧૪૫
-