________________
आयं भावारोग्यं बीजं चैषा परस्य तस्यैव । अधिकारिणो नियोगाच्चरम इयं पुद्गलावर्ते ॥५-२॥ .
“આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ પ્રાથમિક ભાવારોગ્ય સ્વરૂપ છે અને પર-શ્રેષ્ઠ ભાવારોગ્ય સ્વરૂપ મોક્ષનું બીજ છે. નિયમે કરી છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં અધિકારી[યોગ્ય જીવને એની પ્રાપ્તિ થાય છે.”- આ પ્રમાણે બીજી ગાથાનો શબ્દાર્થ છે. પહેલીવાર પ્રાપ્ત થનાર આરોગ્યને આદ્ય આરોગ્ય કહેવાય છે. શરીરના આરોગ્યને દ્રવ્યારોગ્ય કહેવાય છે. આત્માની રાગાદિથી રહિત અવસ્થાને ભાવારોગ્ય કહેવાય છે. અહીં ભાવારોગ્યસ્વરૂપ લોકારતત્ત્વની સંપ્રાપ્તિ સમ્યકત્વસ્વરૂપ છે. '
આશય એ છે કે આ લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ આદ્યભાવારોગ્યસ્વરૂપ છે, જે સમ્યકત્વસ્વરૂપ છે. આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિમાં “સમ્યકત્વનો સ્પર્શ હોવાથી તે પર-શ્રેષ્ઠ એવા ભાવારોગ્યનું બીજ બને છે. આ પરમભાવારોગ્ય મોક્ષસ્વરૂપ છે. કારણ કે આમાં રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ભાવરોગોનો અભાવ હોવાથી સર્વથા પાપરહિત છે. રાગ, વેષ અને મોહની જેમ તેના કારણે થનારાં જાતિ-જન્મ; જરા અને મરણ વગેરે પણ ભાવરોગ છે. તેનો પણ અભાવ મોક્ષમાં હોવાથી “મોક્ષ' ભાવ-આરોગ્યસ્વરૂપ છે. આવી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ અધિકારીને થાય છે.
જેમનો સંસાર લગભગ ક્ષીણ થયો છે-એવા આત્માઓ અહીં અધિકારી છે. આવા અધિકારીઓને છેલ્લા પુદ્ગલપરાવર્તમાં જ લોકોત્તરતત્ત્વની સમ્મામિ ચોક્કસ થાય