________________
કરવું જોઈએ'-આવા અધ્યવસાયવિચારને ઈતિકર્તવ્યતા કહેવાય છે. .
આથી સમજી શકાશે કે પરદર્શનના પ્રણેતાઓની અપેક્ષાએ સ્વદર્શનમાં પ્રવેશેલા આત્માઓની યોગ્યતા વિશિષ્ટ કોટિની છે. એ યોગ્યતાના કારણે લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ તે આત્માઓને થતી હોય છે. જે આત્માઓ ભવિષ્યમાં ક્યારે પણ મિથ્યાત્વ'ની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાના નથી; એવા આત્માઓને અપુનર્બન્ધક કહેવાય છે. લોકોત્તરતત્ત્વની સમ્માપ્તિ માટે માત્ર અપુનર્બન્ધક અવસ્થા ઉપયોગી નથી. એની સાથે સ્વદર્શનપરમતારક શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શનમાં પ્રવેશની પણ અપેક્ષા છે. મુમુક્ષુ આત્માઓએ એનો ખ્યાલ રાખવાની આવશ્યકતા છે. અન્યદર્શનની અપુનર્બન્ધક અવસ્થા લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિનું કારણ નથી પરંતુ સ્વદર્શનની અપુનર્બન્ધક અવસ્થા લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિનું કારણ છે-એ સ્પષ્ટ છે. આમ છતાં ષોડશક પ્રકરણ ભા. ૧ પ્રિકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘમાં અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને વિલંબથી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે.ઈત્યાદિ જણાવ્યું છે તેનો આશય સમજાતો નથી. આવા જીવો જ્યારે સ્વદર્શનમાં પ્રવેશ પામશે ત્યારે જ તેમને લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થાય છે.ઈત્યાદિ યાદ રાખવું. પ-૧
આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિનું જ સ્વરૂપ છે અને તેનો જે કાળમાં સંભવ છે-તે જણાવવા માટે કહે છે -