________________
अथ पञ्चमं षोडशकम् પૂર્વે જણાવ્યા મુજબ ધર્મનું પારમાર્થિક સ્વરૂપ સામાન્યથી વર્ણવવા પૂર્વક વિસ્તારથી તેનાં લિંગોને જણાવીને હવે લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિને જણાવાય છે.
एवं सिद्ध धर्म सामान्येनेह लिङ्गसंयुक्ते । नियमेन भवति पुंसां लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥५-१॥
“આ પૂર્વે જણાવ્યા મુજબ સામાન્યથી ઔદાર્ય વગેરે લિંગોથી યુક્ત એવા ધર્મની સિદ્ધિ થયે છતે જીવોને લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ ચોક્કસ થાય છે.”- આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ પૂર્વેનાં ષોડશકોમાં લૌકિક કે લોકોત્તરાદિ ધર્મની વિવક્ષા કર્યા વિના ઘર્મનું સામાન્યથી જ નિરૂપણ કરી તેનાં ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે લિંગોનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. તે ધર્મની સિદ્ધિ થયે છતે નિયમે કરી [ચોક્કસ] લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ આત્માને થતી હોય છે. તે તે સાંખ્ય કે બૌદ્ધ દર્શન વગેરેમાં મુમુક્ષુ મોશે પહોંચવાની ઈચ્છાવાળા જનો માટે યોગ્ય એવા આચારોનું વર્ણન કરનારા એવા જુદી જુદી અવસ્થામાં રહેલા અપુનબંધક જીવતિ તે દર્શનના પ્રણેતાની અપેક્ષાએ સ્વશ્રીવીતરાગપરમાત્માના]દર્શનમાં રહેલા શુદ્ધ અપુનબંધક જીવોને અને સમ્યગુદૃષ્ટિ આત્માઓને લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. લોકોત્તરતત્ત્વને નહિ પામેલા મિથ્યાદૃષ્ટિલોકો જેને ઈતિકર્તવ્યતા સ્વરૂપે સમજી શકતા નથી, તેને લોકોત્તરતત્ત્વ કહેવાય છે. આ; આ પ્રમાણે
,
s