SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. દેવ–ગુરુ વગેરેમાં નિઃશંકપણે ક્રૂર આચરણને કરનારા અને પોતાની પ્રશંસાને કરનારા જીવો પ્રત્યે કોઈ પણ જાતનો દ્વેષ કર્યા વિના માધ્યસ્થ રાખવું-તેને માધ્યસ્થ્યભાવના કહેવાય છે. ઉપેક્ષા અને માધ્યસ્થ્ય સામાન્યથી એક જ છે. જે દોષોનો પ્રતીકાર શક્ય છે એવા દોષોની ઉપેક્ષા સ્થવિરકલ્પી મહાત્માઓએ ના કરવી. પરંતુ શક્ય પ્રયત્ને તેનો પ્રતીકાર અવશ્ય કરવો જોઈએ. સામી વ્યક્તિમાં હિતની યોગ્યતા હોય તો તેના હિતની ઉપેક્ષા કરવાનું સ્થવિરકલ્પિકો માટે ઉચિત નથી. જિનકલ્પિક મહાત્માઓને ઉપદેશ આપવાનો હોતો નથી. તેથી તેઓ તે પ્રમાણે કરતા નથી. અને ગૃહસ્થોને તો સામાન્યથી ઉપદેશ આપવાનો અધિકાર જ નથી. તેથી તેઓએ પણ પરદોષના પ્રતીકાર માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. અનધિકાર ચેષ્ટા સ્વપરના અહિતનું કારણ બનતી હોય છે. બીજા જીવોની પ્રત્યેના દ્વેષથી દૂર રહેવા માટે આ ‘ઉપેક્ષા’ ખૂબ જ સરસ ઉપાય છે. જીવનમાં પરમશાંતિનો અનુભવ કરવા માટે જેમ રાગથી દૂર રહેવાનું આવશ્યક છે, તેમ દ્વેષથી પણ દૂર રહેવાનું અનિવાર્ય છે. અનંતજ્ઞાનીઓથી પણ જે કાર્ય થયું ન હોય તે કાર્ય કરવાની ભાવના રાખવાથી કશું જ વળવાનું નથી. આવા સંયોગોમાં સમયનો દુર્વ્યય કર્યા વિના માધ્યસ્થ્ય દ્વારા આત્મકલ્યાણ સાધી લેવાનું લક્ષ્ય કેળવી લેવું જોઈએ. ॥૪-૧૫॥ *** ઉપર જણાવ્યા મુજબ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના સ્વરૂપ શરૂઆતની અવસ્થાના ધર્મસિદ્ધિના ગુણોનું ૧૪૦
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy