SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાથી આપણી મનની પરિણતિ ખૂબ જ સારી રહે છે. દુનિયાના બધા જીવો પાપ ન કરે-એ ભાવના પાછળ આપણો એ આશય છે કે તેથી આપણને કોઈ પણ; પાપની પ્રવૃત્તિમાં સહાય ન કરે. આમ થવાથી સંયોગોને આધીન બનવાના કારણે થનારાં મોટાભાગનાં પાપથી આપણે દૂર રહી શકીએ. બીજાના દુઃખનો વિનાશ કરવાના આત્મપરિણામને ‘કરુણા' કહેવાય છે. દીન, પીડા પામેલા, ભયભીત થયેલા અને જીવનની યાચના કરનારા એવા જીવોનાં દુઃખોનો પ્રતીકાર કરવાની બુદ્ધિને કરુણાસ્વરૂપે વર્ણવી છે. બીજાના સુખથી અથવા તો બીજાના સુખમાં સંતોષ થવો—અપ્રીતિ ન કરવી—તેને ‘મુદિતા' કહેવાય છે. જેમના સમગ્ર દોષો ક્ષય પામ્યા છે અને જેઓ વસ્તુના પારમાર્થિક સ્વરૂપને જોનારા છે; તેમના ગુણોની પ્રત્યે જે પક્ષપાત છે તેને પ્રમોદ કહેવાય છે. પ્રમોદ અને મુદિતા-એ બંન્ને પરમાર્થથી એક જ છે. સુખ પણ ગુણવિશેષસ્વરૂપ છે. દુઃખનું કારણ ગુણની ન્યૂનતા છે. જેટલા પ્રમાણમાં ગુણોનો આવિર્ભાવ હોય છે એટલા પ્રમાણમાં ચોક્કસ જ સુખનો અનુભવ થતો હોય છે. આવા બીજાના સુખને જોઈને અપ્રીતિ કરવાનું વસ્તુતઃ કોઈ કારણ નથી. પરંતુ જીવના અનાદિના કુસંસ્કારો આત્માને આ મુદિતાથી દૂર રાખતા હોય છે. ગુણ પ્રત્યે અર્થીપણું જાગે તો મુદિતાગુણને પામવાનું સરળ બને. બીજાના અવિનય વગેરે દોષો કોઈ પણ રીતે દૂર કરી શકાય એવા ન હોય તો તેની ઉપેક્ષા એટલે અવધીરણા [તેની પ્રત્યે ઔદાસીન્ય રાખવું] કરવી-તેને ઉપેક્ષા નામનો ગુણ ૧૩૯
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy