SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી તેમને એ પાપવિકારોનો ઉદ્ભવ થતો નથી. પરંતુ સતત ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે મૈત્રી, પ્રમોદ વગેરે શરૂઆતની કક્ષાના ગુણોનો આવિર્ભાવ થાય છે. પાપનો વિનાશ કરીને ધર્મ; મરણને દૂર કરે છે તેથી તેને અમૃત કહેવાય છે. આ રીતે પાપવિકારોના અભાવ સ્વરૂપ; ધર્મસિદ્ધિનાં લિંગો અને અભ્યાસદશા[ધર્મની પ્રારંભદશા]ના મૈત્રી વગેરે ગુણો ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે પ્રાપ્ત થાય છે-એ સ્પષ્ટ 99... 118-9811 *** મૈત્રી વગેરે ગુણોનું સ્વરૂપ જણાવાય છે परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टि मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥४- १५॥ બીજા જીવોના હિતની ચિંતાને મૈત્રી કહેવાય છે. બીજાના દુઃખનો વિનાશ કરનારી કરુણા છે. બીજાના સુખમાં સંતોષ એ મુદિતા છે અને પરદોષની ઉપેક્ષાને ઉપેક્ષા કહેવાય છે.” આ પ્રમાણે પંદરમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે ધર્મની સિદ્ધિના અર્થીઓએ પૂર્વે જણાવ્યા મુજબ મૈત્રી વગેરે ભાવનાઓથી વાસિત બનવાની આવશ્યકતા છે. બીજાના હિતની વિચારણાને સામાન્ય રીતે મૈત્રી' કહેવાય છે. કોઈ પણ જીવ પાપ ન કરે તેથી જ કોઈ પણ જીવ દુ:ખી ન બને અને આ સમગ્ર જગત સંસારથી મુક્ત બને’ આવા પ્રકારની આત્મપરિણતિને મૈત્રી' હેવાય છે. આવી ૧૩૮
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy