________________
બાધક છે. ૪-૧૩
આ રીતે વિષયતૃષ્ણા વગેરે અભાવસ્વરૂપે ધર્મસિદ્ધિનાં લિંગો છે તે જણાવ્યું. ધર્મસિદ્ધિ વખતે વિષયતૃષ્ણાદિના અભાવના સદ્ભાવને જણાવતા મૈત્યાદિ ગુણો હોય છે - તે જણાવાય છે -
एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततम् । धर्मामृतप्रभावाद् भवन्ति मैत्र्यादयश्च गुणाः ॥४-१४॥
બુદ્ધિમાન આ ધર્માર્થી જનને પૂર્વે જણાવેલા વિષયતૃષ્ણા વગેરે પાપના વિકારો ઉત્પન્ન થતા નથી. સતત ધર્મસ્વરૂપ અમૃતના સામર્થ્યથી મૈત્રી, પ્રમોદ વગેરે ગુણો પ્રાપ્ત થાય છેઆ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. - આશય એ છે કે ઘર્મનાં અર્થ જની સમજણપૂર્વક ધર્મ કરતા હોવાથી ઘર્મના ઉદ્દેશ વગેરેનો તેમને ખૂબ જ સારી રીતે ખ્યાલ હોય છે. એથી તેઓ સારી રીતે સમજી શકે છે કે ધર્મના બાધક એવા પાપવિકારોનો ઉચ્છેદ કર્યા વિના ધર્મની સિદ્ધિ થતી નથી. વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ઘર્મપથ્યમાં અરુચિ અને ક્રોધકંડૂતિ-આ બધા પાપવિકારોનો ખ્યાલ આવ્યા પછી એને દૂર કરવા માટે કોઈ પણ રીતે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. ઘર્માર્થી આત્માઓની બુદ્ધિમત્તા એમાં સમાયેલી છે. ગાથામાં ગ0 ઘીમતઃ-આ પ્રમાણેના નિર્દેશથી એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. બુદ્ધિમાન આત્માઓ ધર્મ કરતી વખતે પાપવિકારોને દૂર કરવા સતત પ્રયત્નશીલ